નીતિશ કુમાર-તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ; બિહારના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ

  • India
  • January 2, 2025
  • 0 Comments

નીતિશ કુમાર ( Nitish Kumar)  અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વચ્ચેની મુલાકાતે બિહારના રાજકારણમાં એક નવો માહોલ ઉભો કર્યો છે. આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા લાલુ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર ને ઓફર આપતા રાજ્યના રાજકારણમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આમ તો નીતિશ કુમાર અંગે છેલ્લા ઘણા દિવસથી નિવેદનબાજી ચાલી રહી છે, લાલુની ઓફર બાદ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં મુલાકાત થતા ચર્ચાઓ વધુ જોર પકડી લીધું છે.

નીતિશ-તેજસ્વી વચ્ચે રાજભવનમાં ભેટ

એસલમાં બિહારની રાજધાની પટણાનાં રાજભવનમાં આજે રાજ્યપાલનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન નીતિશ કુમાર (CM Nitish Kumar) અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સામસામે આવ્યા હતા. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી અને નીતિશ કુમાર સામસામે આવ્યા ત્યારે નીતિશ થોડો સમય અટકી ગયા હતા, પરંતુ છેવટે તેજસ્વીએ અભિવાદન કર્યું, ત્યારે નીતિશે તેમનો હાથ પકડી લીધો હતો. ઉલ્લેખની છે કે, બિહારમાં આરિફ મહમ્મદ ખાન (Arif Mohammad Khan)ને નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- પાટીદાર યુવતીના સરઘસ મામલે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવ્યા મેદાનમાં

લાલુના નિવેદન મુદ્દે તેજસ્વીએ કરી સ્પષ્ટતા

રાજભવનમાં નીતિશ-તેજસ્વી વચ્ચે મુલાકાત થઈ તે પહેલા પૂર્વ સીએમએ એક નિવેદન આપ્યું અને હવે તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં લાલુ પ્રસાદ દ્વારા નીતિશ કુમારને ઓફર આપવા મુદ્દે તેજસ્વી યાદવે કહ્યું કે, ‘લાલુજીએ મીડિયાને શાંત પાડવા માટે આ નિવેદન આપ્યું હતું. તમે લોકો રોજ પૂછતા રહો છો, તેથી અમે પણ શું બોલીએ.’

કોંગ્રેસે નીતિશ કુમારના કર્યા વખાણ

લાલુ-નીતિશ વચ્ચે ઓફરની ગેમ બાદ કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહમદ ખાને રાજ્યના મુખ્યમંત્રીના વખાણ કરીને કહ્યું કે, ‘જે લોકો ગાંધીવાદી છે, તેઓ અમારી સાથે આવશે. નીતિશ કુમાર ગાંધીવાદી છે, તેઓ ગાંધીજીના સિદ્ધાંતો પર ચાલે છે.’

આ પણ વાંચો- અડાલજ નજીક બસ-રિક્ષા વચ્ચે ખતરનાક અકસ્માત, એક મુસાફરના ફૂરચે-ફૂરચા

અમે નહીં, તો લોકો મૂંઝવણમાં છે : JUDના મંત્રી

JDU અને RJD નેતાઓએ રાજકારણને ગરમાવ્યા બાદ નીતિશ સરકારના મંત્રી વિજય કુમારે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આરજેડીના એક નેતા કહે છે કે, દરવાજો બંધ છે, જ્યારે બીજા નેતા કહે છે કે, દરવાજા ખુલ્લા છે. આનો અર્થ એ છે કે, અમે લોકો નહીં, પણ તેઓ મૂંઝવણમાં છે.’

લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું હતું ?

આ પહેલા લાલુ યાદવે (Lalu Prasad Yadav) કહ્યું હતું કે, ‘નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે, નીતિશે પણ ખોલીને રાખવા જોઈએ. જો તેઓ અમારી સાથે આવે છે, તો અમે કેમ ન લઈએ? અમે તેમને સાથે લઈશું. નીતિશ અમારી સાથે આવે અને અમારી સાથે કામ કરે. નીતિશ કુમાર ભાગી જાય છે, જોકે અમે માફ કરી દઈશું.’ આ પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે, જોકે આરજેડીમાં લાલુ યાદવનો નિર્ણય જ સર્વોપરી માનવામાં આવે છે.’

આ પણ વાંચો- મમતા બેનર્જીનો દાવો- BSF બાંગ્લાદેશીઓની ઘુસણખોરી કરાવી રહી છે; મહિલાઓ પર કરી રહી છે અત્યાચાર

Related Posts

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !
  • February 2, 2026

■ જનરલ નરવણેના પુસ્તકમાંથી 9 મુદ્દા ટાંકીને રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો! શાહ અને રાજનાથસિંહ રાહુલને અટકાવતા રહયા! Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો તેઓએ ભૂતપૂર્વ આર્મી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 4 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 4 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 7 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 6 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 6 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!