નીતિશ કુમાર-તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ; બિહારના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ

  • India
  • January 2, 2025
  • 0 Comments

નીતિશ કુમાર ( Nitish Kumar)  અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વચ્ચેની મુલાકાતે બિહારના રાજકારણમાં એક નવો માહોલ ઉભો કર્યો છે. આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા લાલુ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર ને ઓફર આપતા રાજ્યના રાજકારણમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આમ તો નીતિશ કુમાર અંગે છેલ્લા ઘણા દિવસથી નિવેદનબાજી ચાલી રહી છે, લાલુની ઓફર બાદ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં મુલાકાત થતા ચર્ચાઓ વધુ જોર પકડી લીધું છે.

નીતિશ-તેજસ્વી વચ્ચે રાજભવનમાં ભેટ

એસલમાં બિહારની રાજધાની પટણાનાં રાજભવનમાં આજે રાજ્યપાલનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન નીતિશ કુમાર (CM Nitish Kumar) અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સામસામે આવ્યા હતા. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી અને નીતિશ કુમાર સામસામે આવ્યા ત્યારે નીતિશ થોડો સમય અટકી ગયા હતા, પરંતુ છેવટે તેજસ્વીએ અભિવાદન કર્યું, ત્યારે નીતિશે તેમનો હાથ પકડી લીધો હતો. ઉલ્લેખની છે કે, બિહારમાં આરિફ મહમ્મદ ખાન (Arif Mohammad Khan)ને નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- પાટીદાર યુવતીના સરઘસ મામલે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવ્યા મેદાનમાં

લાલુના નિવેદન મુદ્દે તેજસ્વીએ કરી સ્પષ્ટતા

રાજભવનમાં નીતિશ-તેજસ્વી વચ્ચે મુલાકાત થઈ તે પહેલા પૂર્વ સીએમએ એક નિવેદન આપ્યું અને હવે તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં લાલુ પ્રસાદ દ્વારા નીતિશ કુમારને ઓફર આપવા મુદ્દે તેજસ્વી યાદવે કહ્યું કે, ‘લાલુજીએ મીડિયાને શાંત પાડવા માટે આ નિવેદન આપ્યું હતું. તમે લોકો રોજ પૂછતા રહો છો, તેથી અમે પણ શું બોલીએ.’

કોંગ્રેસે નીતિશ કુમારના કર્યા વખાણ

લાલુ-નીતિશ વચ્ચે ઓફરની ગેમ બાદ કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહમદ ખાને રાજ્યના મુખ્યમંત્રીના વખાણ કરીને કહ્યું કે, ‘જે લોકો ગાંધીવાદી છે, તેઓ અમારી સાથે આવશે. નીતિશ કુમાર ગાંધીવાદી છે, તેઓ ગાંધીજીના સિદ્ધાંતો પર ચાલે છે.’

આ પણ વાંચો- અડાલજ નજીક બસ-રિક્ષા વચ્ચે ખતરનાક અકસ્માત, એક મુસાફરના ફૂરચે-ફૂરચા

અમે નહીં, તો લોકો મૂંઝવણમાં છે : JUDના મંત્રી

JDU અને RJD નેતાઓએ રાજકારણને ગરમાવ્યા બાદ નીતિશ સરકારના મંત્રી વિજય કુમારે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આરજેડીના એક નેતા કહે છે કે, દરવાજો બંધ છે, જ્યારે બીજા નેતા કહે છે કે, દરવાજા ખુલ્લા છે. આનો અર્થ એ છે કે, અમે લોકો નહીં, પણ તેઓ મૂંઝવણમાં છે.’

લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું હતું ?

આ પહેલા લાલુ યાદવે (Lalu Prasad Yadav) કહ્યું હતું કે, ‘નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે, નીતિશે પણ ખોલીને રાખવા જોઈએ. જો તેઓ અમારી સાથે આવે છે, તો અમે કેમ ન લઈએ? અમે તેમને સાથે લઈશું. નીતિશ અમારી સાથે આવે અને અમારી સાથે કામ કરે. નીતિશ કુમાર ભાગી જાય છે, જોકે અમે માફ કરી દઈશું.’ આ પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે, જોકે આરજેડીમાં લાલુ યાદવનો નિર્ણય જ સર્વોપરી માનવામાં આવે છે.’

આ પણ વાંચો- મમતા બેનર્જીનો દાવો- BSF બાંગ્લાદેશીઓની ઘુસણખોરી કરાવી રહી છે; મહિલાઓ પર કરી રહી છે અત્યાચાર

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 3 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 4 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 9 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 10 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!