Gujarati devotee dies Mhakumbh: મહાકુંભ મેળામાં વધુ એક ગુજરાતી શ્રધ્ધાળુંનું મોત, જાણો મૃતક કોણ અને ક્યાના છે?

  • Gujarat
  • February 1, 2025
  • 0 Comments

One more Gujarati devotee dies Mhakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક મહેસાણા જીલ્લાના વિસનગરના કડા ગામના એક વ્યક્તિનું મોત થયું હતુ. ત્યારે આજે રાજકોટનાં વધુ એક શ્રદ્ધાળુનું મોત થયું છે. જેથી તા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

રાજકોટમાં રહેતાં PGVCL કોન્ટ્રેક્ટરનું મોત

રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCL કોન્ટ્રેક્ટર 53 વર્ષીય કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ તેમનાં પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા, જ્યાં અચાનક તેમને શ્વાસ ચડતાં રાયબરેલી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ.

મૃતદેહ એમ્બ્યુલન્સમાં  રાજકોટ લાવાયો હતો

મૃતદેહને ગઈકાલે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવામાં આવ્યો હતો અને અંતિમયાત્રામાં સમાજના અગ્રણીઓ તેમજ PGVCLના સાથીકર્મચારીઓ જોડાયા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવાર આઘાતમાં છે.

ઉત્તર પ્રદેશનાં પ્રયાદરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.

અગાઉ મહેસાણા જીલ્લાના વતનીનું થયું હતુ મોત

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ કિનારે બુધવારે (29 જાન્યુઆરી) થયેલી નાસભાગમાં મહેસાણા જિલ્લાના વિસનગરના કડાના પટેલ મહેશભાઈ સોમાભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું મોત થયું હતુ. તેમનો મૃતદેહ તેમના વતન લાવી સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યારે હવે વધુ એક ગુજરાતીનું મોત થયું છે.

 

આ પણ વાંચોઃ BANASKANTHA: વાવ પંથકમાંથી ઝડપાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, 17 શખ્સો દ્વારા વિદેશી લોકો સાથે છેતરપીંડી, જાણો સમગ્ર કારસ્તાન!

Related Posts

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading
Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 5 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 5 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!