
Pahalgam Attack: 22 એપ્રિલે પહેલગામ થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોત થઈ ગયા છે. જેમાં મધ્ય પ્રદેશના ઈન્દોર જીલ્લાના 58 વર્ષિય સુશીલભાઈએ જીવ ગુમાવ્યો છે. જીવ ગુમાવનાર સુશીલ નથાનીયલના આજે ગુરુવારે ઇન્દોરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા વીણા નગર સ્થિત તેમના ઘરથી શરૂ થઈ હતી. તેમના પાર્થિવ શરીરને એક ખાસ વાહનમાં નંદા નગર ચર્ચ લઈ જવાયો હતો. જ્યાં પ્રાર્થના કર્યા બાદ જુની ઇન્દોર કબ્રસ્તાનમાં ખ્રિસ્તી રીતરિવાજ દફનવીધી કરવામાં આવી હતી. સુશીલની અંતિમ યાત્રા માટે મોટી ભીડ એકઠી થઈ હતી, સેંકડો લોકો તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. તેની પત્ની જેનિફર શબપેટીને વળગી ધ્રુસકે ધ્રુસકે રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધાની આંખો ભીની થઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે સુશીલ નથાનીયલનો મૃતદેહ બુધવારે(22 અપ્રિલ) રાત્રે લગભગ 9 વાગ્યે ઇન્દોર એરપોર્ટ પહોંચ્યો હતો, જ્યાંથી તેને તેમના નિવાસસ્થાન વીણા નગર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુશીલ નથાનીયલનું મોત થયું છે. તે અલીરાજપુર સ્થિત LIC ની સેટેલાઇટ શાખામાં કામ કરતો હતો. હુમલો થયો ત્યારે તે પોતાના પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે હતો. તે 18 એપ્રિલે તેની પત્ની જેનિફર, 21 વર્ષના પુત્ર ઓસ્ટિન ગોલ્ડી અને 30 વર્ષની પુત્રી આકાંક્ષા સાથે રજામાં ફરવા ગયા હતા. 22 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે, આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 30 લોકો માર્યા ગયા. તેમાં સુશીલ નથાનીયલનો પણ સમાવેશ થયા છે.
પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
આ હુમલામાં સુશીલની પુત્રી આકાંક્ષા, જે સુરતમાં બેંક ઓફ બરોડામાં ફર્સ્ટ ક્લાસ ઓફિસર તરીકે કામ કરે છે, તેને પણ ગોળી વાગી હતી. સુશીલની પત્ની જેનિફર ખાટીપુરાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે, જ્યારે પુત્ર ઓસ્ટિન એક ઉભરતો બેડમિન્ટન ખેલાડી છે. આ દુ:ખદ ઘટનાથી પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ દુર્ઘટના શોકગ્રસ્ત પરિવાર માટે અસહ્ય છે.
મૂળ જોબતના હતા, અંતિમ વિદાય ઇન્દોરમાં થઈ રહી છે
સુશીલ નથાનીયલ મૂળ મધ્યપ્રદેશના જોબટ વિસ્તારનો રહેવાસી હતા, પરંતુ લાંબા સમયથી ઇન્દોરમાં રહેતા હતા. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્થાનિક નાગરિકો, સંબંધીઓ, મિત્રો અને સાથીદારોએ તેમને અશ્રુભીની વિદાય આપી. સુશીલના અવસાનથી સમગ્ર શહેર શોકમાં ડૂબી ગયું છે, અને ફરી એકવાર આતંકવાદ સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ
Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક
Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?
મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?