Pahalgam Attack: સુરત બેંકમાં જોબ કરતી દિકરીએ પિતા ગુમાવ્યા, શબને વળગી પત્નીનું આક્રંદ, સુશીલના ઇન્દોરમાં અંતિમસંસ્કાર

  • India
  • April 24, 2025
  • 1 Comments

Pahalgam Attack: 22 એપ્રિલે પહેલગામ થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોત થઈ ગયા છે. જેમાં મધ્ય પ્રદેશના ઈન્દોર જીલ્લાના 58 વર્ષિય સુશીલભાઈએ જીવ ગુમાવ્યો છે. જીવ ગુમાવનાર સુશીલ નથાનીયલના આજે ગુરુવારે ઇન્દોરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા વીણા નગર સ્થિત તેમના ઘરથી શરૂ થઈ હતી. તેમના પાર્થિવ શરીરને એક ખાસ વાહનમાં નંદા નગર ચર્ચ લઈ જવાયો હતો. જ્યાં પ્રાર્થના કર્યા બાદ જુની ઇન્દોર કબ્રસ્તાનમાં ખ્રિસ્તી રીતરિવાજ દફનવીધી કરવામાં આવી હતી. સુશીલની અંતિમ યાત્રા માટે મોટી ભીડ એકઠી થઈ હતી, સેંકડો લોકો તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. તેની પત્ની જેનિફર શબપેટીને વળગી ધ્રુસકે ધ્રુસકે રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધાની આંખો ભીની થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે સુશીલ નથાનીયલનો મૃતદેહ બુધવારે(22 અપ્રિલ) રાત્રે લગભગ 9 વાગ્યે ઇન્દોર એરપોર્ટ પહોંચ્યો હતો, જ્યાંથી તેને તેમના નિવાસસ્થાન વીણા નગર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુશીલ નથાનીયલનું મોત થયું છે. તે અલીરાજપુર સ્થિત LIC ની સેટેલાઇટ શાખામાં કામ કરતો હતો. હુમલો થયો ત્યારે તે પોતાના પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે હતો. તે 18 એપ્રિલે તેની પત્ની જેનિફર, 21 વર્ષના પુત્ર ઓસ્ટિન ગોલ્ડી અને 30 વર્ષની પુત્રી આકાંક્ષા સાથે રજામાં ફરવા ગયા હતા. 22 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે, આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 30 લોકો માર્યા ગયા. તેમાં સુશીલ નથાનીયલનો પણ સમાવેશ થયા છે.

પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

આ હુમલામાં સુશીલની પુત્રી આકાંક્ષા, જે સુરતમાં બેંક ઓફ બરોડામાં ફર્સ્ટ ક્લાસ ઓફિસર તરીકે કામ કરે છે, તેને પણ ગોળી વાગી હતી. સુશીલની પત્ની જેનિફર ખાટીપુરાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે, જ્યારે પુત્ર ઓસ્ટિન એક ઉભરતો બેડમિન્ટન ખેલાડી છે. આ દુ:ખદ ઘટનાથી પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ દુર્ઘટના શોકગ્રસ્ત પરિવાર માટે અસહ્ય છે.

મૂળ જોબતના હતા, અંતિમ વિદાય ઇન્દોરમાં થઈ રહી છે

Indore News: Funeral Procession of Pahalgam Attack Victim Sushil Nathaniel Held in City

સુશીલ નથાનીયલ મૂળ મધ્યપ્રદેશના જોબટ વિસ્તારનો રહેવાસી હતા, પરંતુ લાંબા સમયથી ઇન્દોરમાં રહેતા હતા. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્થાનિક નાગરિકો, સંબંધીઓ, મિત્રો અને સાથીદારોએ તેમને અશ્રુભીની વિદાય આપી. સુશીલના અવસાનથી સમગ્ર શહેર શોકમાં ડૂબી ગયું છે, અને ફરી એકવાર આતંકવાદ સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે.

 

આ પણ વાંચોઃ

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

 

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

One thought on “Pahalgam Attack: સુરત બેંકમાં જોબ કરતી દિકરીએ પિતા ગુમાવ્યા, શબને વળગી પત્નીનું આક્રંદ, સુશીલના ઇન્દોરમાં અંતિમસંસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ