Pahalgam Terror Attack: પંજાબમાં મુસ્લીમોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, આતંકીનું પૂતળું બાળ્યું

  • India
  • April 23, 2025
  • 4 Comments

Pahalgam Terror Attack: ગઈકાલે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બુધવારે પંજાબના લુધિયાણામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદી ઘટનાની નિંદા કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન, મુસ્લિમ સમુદાયે આતંકવાદનું પૂતળું બાળ્યું અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને ‘આતંકવાદ મુર્દાબાદ’ ના નારા લગાવ્યા હતા. મુસ્લીમ સમુદાયના નેતા મુહમ્મદ મુસ્તકીમ કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર લોકો પર હુમલો નિંદનીય છે. સમગ્ર મુસ્લિમ સમુદાય આનો વિરોધ કરે છે. પંજાબના શાહી ઇમામ ઉસ્માન લુધિયાનવીએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

આતંકી હુમલામાં 30 પ્રવાસીઓના મોત

જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025)ના રોજ અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓ પર 6 જેટલા આતંકીઓ ગોળીઓથી વિધી નાખ્યા છે. ઘટનાસ્થળે ભારે કોલાહાલ મચી ગયો હતો. મોટા ભાગે આ હુમલામાં પુરુષને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કોઈ પુત્ર તો કોઈએ પતિ ગુમાવ્યા છે. ઘટનાસ્થળે મહિલાઓનું રોકકળ સૌ કોઈને હચમચાવી દેવું હતુ. આ 30 મૃતકો પૈકી 3 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સુરત અને બે ભાવનગરના પ્રવાસીના મોત થયા છે. જેથી પરિવારોમાં ભારે આક્રંદ છે. ખાતે થયો હતો. હુમલાખોર આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

TRF શું છે? તે કેવી રીતે કામ કરે છે?

TRF એક આતંકવાદી સંગઠન છે જે 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી ઉભરી આવ્યું હતું. આ એક રીતે પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે. TRF ઘણીવાર નાગરિકો પર હુમલા કરી ચૂક્યું છે. ખાસ કરીને કાશ્મીરી પંડિતો જેવા લઘુમતી સમુદાયોના સભ્યો, સરકારી કર્મચારીઓ અને પ્રવાસીઓ પર. આ સંગઠન ભારતીય સુરક્ષા દળો પર પણ હુમલો કરે છે. TRF બિન-ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને પોતાને ધર્મનિરપેક્ષ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો હેતુ કાશ્મીરમાં આતંક ફેલાવવાનો છે. પાકિસ્તાન મુર્દાબાદ લગાવવાનું કારણ એ છે કે આ જૂથ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. પાકિસ્તાન TRF ને મદદ પુરી પાડતું હોવાના દાવા છે.

 

 

આ પણ વાંચોઃ

Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’

Kashmir Bandh: આતંકવાદના વિરોધમાં કાશ્મીર બંધ, મસ્જિદોએ હુમલાની નિંદા કરી, ‘અમારા માથા શરમથી ઝૂકી ગયા’

Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!

Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?

Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 6 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!