Pakistan Imran Khan News :સસ્પેન્સ ખતમ,ઈમરાનખાન જીવે છે,બહેન ડૉ. ઉઝમા જેલમાં ઈમરાનને મળ્યા!

  • World
  • December 2, 2025
  • 0 Comments

Pakistan Imran Khan News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાનખાનની જેલમાં હત્યા કરી નાખવામાં આવી હોવાના પ્રસરેલા અહેવાલો બાદ આખરે ઈમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાનને આજે જેલમાં ઈમરાનને મળવાની મંજૂરી આપવામાં આવતા બહેન 28 દિવસ બાદ ભાઈને મળી શક્યા હતા.

ઓગસ્ટ-2023થી જેલમાં બંધ ઈમરાન ખાનને તેમના પરિવાર સાથે મળવા નહિ દેવાતા ઈમરાનની હત્યા થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવતો હતો અને વિશ્વભરના મિડિયામાં આ અહેવાલો પ્રસારિત થતાં ભારે સસ્પેન્સ ઉભુ થયુ હતું.

દરમિયાન,બહેન ડૉ. ઉઝમા ખાને ઈમરાન સાથે 20 મિનિટ મુલાકાત કર્યા બાદ જેલમાંથી બહાર આવીને પુષ્ટિ કરી છે કે, ‘ઈમરાન ખાનની તબિયત ઠીક છે, પરંતુ તેમને જેલમાં પરેશાન કરવામાં આવી રહ્યા છે.

તેમને આખો દિવસ એક રૂમમાં બંધ રાખવામાં આવે છે.તેમણે ઇમરાન ખાન પર થઈ રહેલા અત્યાચાર માટે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને જવાબદાર ઠેરવ્યા છે.

લાંબા સમય સુધી મુલાકાતની મંજૂરી ન મળવાને કારણે ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને X પર પોસ્ટ કરીને પોતાના પિતાના જીવિત હોવાનો પુરાવો રજૂ કરવાની માંગણી કરી હતી. વકીલોના એક જૂથે ઈમરાન ખાનને એકાંતમાં રાખવા બદલ સરકાર વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં અડિયાલા જેલની બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

આજે મંગળવારે (2 ડિસેમ્બર, 2025) ના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને અદિયાલા જેલની બહાર પીટીઆઈ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના મુલાકાત અધિકારો પર પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાનના પરિવાર અને પક્ષના નેતાઓને છેલ્લા ઘણા અઠવાડિયાથી તેમને મળવાની મંજૂરી નથી.

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીના જણાવ્યા અનુસાર, 27 ઓક્ટોબરથી કોઈને પણ ઇમરાન ખાન કે તેમની પત્ની બુશરા બીબીને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. ઇમરાન ખાનની પાર્ટી, પીટીઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનો પહેલા ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી, તલાલ ચૌધરીએ કડક સૂચનાઓ જારી કરી હતી કે કલમ 144નું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

તલાલ ચૌધરીએ ચેતવણી આપી હતી કે, “ભલે તેઓ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં આવે કે અદિયાલા જેલમાં, કલમ 144 હેઠળ ભેદભાવ વિના કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે ખાસ કરીને પીટીઆઈ સમર્થિત ધારાસભ્યોને કાયદાનું પાલન કરવાની અપીલ કરી હતી.

અત્રે, ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી જ્યારે ઈમરાન ખાનને મળવા જેલ ઉપર ગયા ત્યારે તેઓને મળવા દેવામાં આવ્યા ન હતા અને પોલીસે રોડ ઉપર ઢસડીને માર મારવામાં આવ્યો હતો.

જોકે,ચારેતરફથી ભીંસ વધતા જેલ પ્રશાસને આજે બહેન ડૉ. ઉઝમા ખાનને મળવા દેવાતા ઈમરાન જીવિત હોવાની વાત સાફ થઈ ગઈ છે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

 

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 1 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 4 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 10 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 8 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 6 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’