
Pakistan: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે હાલમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે મહત્વની શાંતિ મંત્રણાઓ આયોજિત કરવામાં આવી છે. આ મંત્રણામાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ હાજર રહેવાના છે અમેરિકા સાથેની પ્રસ્તાવિત વાટાઘાટો પહેલા ઈરાનનું પ્રતિનિધિમંડળ મોડી રાત્રે પાકિસ્તાન પહોંચ્યું છે, ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર, આ પ્રતિનિધિમંડળ 71 લોકોનું છે,આ નિર્ણાયક બેઠક આજે તા.11 એપ્રિલ 2026 ના રોજ ઈસ્લામાબાદમાં યોજાવાની છે.
સુરક્ષાના કારણોસર ઈસ્લામાબાદમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે ઈરાને વાટાઘાટો શરૂ કરતા પહેલા બે મુખ્ય શરતો મૂકી છે: લેબનાનમાં તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ (Ceasefire) લાગુ કરવો વિવિધ દેશોમાં બ્લોક કરવામાં આવેલા ઈરાની ફંડ્સ (ભંડોળ) ને મુક્ત કરવા.
પાકિસ્તાન આ મંત્રણામાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. અગાઉ 8 એપ્રિલે અમેરિકાએ બે અઠવાડિયા માટે સીઝફાયરની જાહેરાત કરી હતી, જે આ મંત્રણાનો પાયો બન્યો છે મંત્રણા પહેલા જ ઈરાને ઈઝરાયેલ પર કુવૈતમાં થયેલા હુમલાનો આરોપ લગાવીને વાતાવરણ ગરમ કર્યું છે. વધુમાં, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની સુરક્ષા અને ટ્રાફિકિંગ પણ ચર્ચાનો મોટો વિષય છે ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ પણ આ વાટાઘાટોમાં ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી શકે છે.
વિશ્વના દેશોની નજર આ મંત્રણા પર છે કારણ કે તે મધ્ય પૂર્વમાં શાંતિ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર, આ પ્રતિનિધિમંડળ 71 લોકોનું છે આ ટીમમાં નિષ્ણાત સલાહકારો,મીડિયા પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ પણ સામેલ છે. આ વાટાઘાટ ટીમનું નેતૃત્વ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબાફ કરી રહ્યા છે બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ પ્રતિનિધિમંડળ સાથે આજે ઈસ્લામાબાદ પહોંચશે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ મહત્વની બેઠક આજે ઈસ્લામાબાદમાં યોજાવાની છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







