BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

BJP: ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે અને છેલ્લા 30 વર્ષથી ભાજપનો દબદબો છે પણ હવે છેલ્લા કેટલાક સમયથી એવું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યુ છે જેમાં ભાજપ જીતે છે પણ સંગઠન હારી રહ્યું છે,ગુજરાત ભાજપ સંગઠનમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે.એમાંય વળી, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલા ટિકિટ વિતરણના કડક માપદંડોને કારણે પક્ષમાં આંતરિક અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે.

આ નારાજગીના મુખ્ય કારણોમાં જોવા જાઈએતો તે પાર્ટીના કડક નિયમો છે, ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ટિકિટ ફાળવણી માટે કેટલાક કડક માપદંડો નક્કી કરાયા છે, જેમાં 60 વર્ષથી વધુ વયના, ત્રણ ટર્મથી ચૂંટાયેલા સભ્યો અને નેતાઓના સગા-સંબંધીઓને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો વળી આ નિયમો સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, “પક્ષે બનાવેલા નિયમો જ પક્ષને નુકસાન કરશે” અને આંતરિક જૂથવાદને કારણે પક્ષને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે.

અહેવાલો અનુસાર, લગભગ 70% જેટલા જૂના જોગીઓની ટિકિટ કપાઈ શકે છે, જેના કારણે વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરો અને નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ટિકિટથી વંચિત કેટલાક કાર્યકરો અન્ય પક્ષો તરફ વળી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.પક્ષની ‘નો-રિપીટ’ થિયરી અને કડક શિસ્તના નિયમોને કારણે ઘણા ટિકિટ વાંછુંઓના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ મુકાતા ગુજરાતના રાજકારણમાં હાલ આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે, આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર રાજેશ ઠાકરે વધુ પ્રકાશ પાડ્યો હતો,વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીત દરમિયાન રાજેશ ઠાકરે ભાજપનું આંતરિક ચિત્ર રજૂ કર્યું હતું જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Malala Book Controversy: અમદાવાદમાં મલાલા-ઍન ફ્રેન્કનાં પુસ્તકોના વાંચન કાર્યક્રમમાં હંગામો, બજરંગ દળ-વિહિપના લોકો પર મારપીટના આરોપ

  • August 29, 2026
  • 2 views
Ahmedabad Malala Book Controversy: અમદાવાદમાં મલાલા-ઍન ફ્રેન્કનાં પુસ્તકોના વાંચન કાર્યક્રમમાં હંગામો, બજરંગ દળ-વિહિપના લોકો પર મારપીટના આરોપ

World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

  • August 28, 2026
  • 3 views
World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

  • August 28, 2026
  • 6 views
MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

  • August 28, 2026
  • 5 views
Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

  • August 27, 2026
  • 7 views
Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • August 27, 2026
  • 6 views
Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો