Defence Deal: શું હવે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે કરેલી ડીલ કામ લાગશે?, તાલીબાનીઓએ પાકિસ્તાનના 50થી વધુ સૈનિકોની મારી નાખ્યા!

  • World
  • October 12, 2025
  • 0 Comments

Pakistan-Saudi Arabia Defence Deal: આતંકવાદને પાળવા માટે જાણિતા બનેલું પાકિસ્તાન પોતે જ ખોદેલા ખાડામાં પડી રહ્યું છે અફઘાન તાલિબાનના આ ભયંકર હુમલાએ શાહબાઝ શરીફ સરકારને વધુ મુશ્કેલીમાં મૂકી દીધી છે. તાલિબાનનો દાવો છે કે આ હુમલામાં 50 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને લગભગ બે ડઝન પાકિસ્તાની ચોકીઓ પણ કબજે કરી છે. આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાકિસ્તાન સાથે નાટો જેવો કરાર કરનાર સાઉદી અરેબિયા ક્યાં છે? શું તે પાકિસ્તાનને મદદ કરવા માટે પોતાની સેના મોકલવાની તૈયારી કરી રહ્યું છે? જવાબ ના છે. સાઉદી અરેબિયાએ બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. વિવિધ અહેવાલો અનુસાર આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 65 સૈનિકો અથવા લડવૈયાઓ માર્યા ગયા છે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર થઈ રહેલી હિંસક અથડામણો અંગે એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને પક્ષોએ તણાવ ઘટાડવા માટે આત્મસંયમ રાખવો જોઈએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સાઉદી અરેબિયા પાકિસ્તાનના ઇસ્લામિક રિપબ્લિક અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારોમાં થઈ રહેલા તણાવ અને અથડામણો પર ચિંતા વ્યક્ત કરે છે. સાઉદી અરેબિયા આત્મસંયમ રાખવા, તણાવ વધારવાનું ટાળવા અને વાતચીત અને સમજણ અપનાવવા હાકલ કરે છે, જે તણાવ ઘટાડવામાં અને ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં મદદ કરશે.”

સાઉદી અરેબિયા તરફથી આ નિવેદન પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યાના થોડા અઠવાડિયા પછી આવ્યું છે. જોકે, યુદ્ધની સ્થિતિમાં સાઉદી અરેબિયા સીધી હસ્તક્ષેપ કરશે કે વ્યૂહાત્મક સહાય પૂરી પાડશે તે અંગે અનિશ્ચિતતા છે. બંને દેશોએ આ કરારને આક્રમક નહીં પણ રક્ષણાત્મક ગણાવ્યો છે. તાલિબાનના વિદેશ પ્રધાન મુત્તાકીએ પણ દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં પુષ્ટિ આપી હતી કે સાઉદી અરેબિયા અને કતાર મધ્યસ્થી કરવાની ઓફર કરી છે.

મુત્તાકીએ સમગ્ર ઘટના પર બોલતા કહ્યું કે પાકિસ્તાનમાં આંતરિક ઉગ્રવાદની સમસ્યા છે. પાકિસ્તાને પહેલા તે મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનના આરોપો અંગે તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપીના કોઈ સભ્ય નથી.

ઉલ્લેખનીય છે કે શનિવારે મોડી રાત્રે તાલિબાન લડવૈયાઓએ કથિત રીતે ઘણી પાકિસ્તાની ચોકીઓ પર કબજો કર્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરી અને ઘણી તાલિબાની ચોકીઓને નિશાન બનાવી. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે ખૈબર-પખ્તુનખ્વામાં અંગૂર અદ્દા, બાજૌર, કુર્રમ, દીર, ચિત્રાલ અને બલુચિસ્તાનમાં બારામચા સહિત અનેક ચોકીઓ પર ભારે ગોળીબાર થયો હતો.

આ પણ વાંચો:

Viral Video: તાલિબાનનું સમર્થન કરનારને ‘દેશદ્રોહી’ કહેનાર ભાજપે તાલિબાની નેતા માટે લાલ જાજમ બિછાવી!, ‘થુકેલું ચાટવું’ આનું નામ!, જુઓ

Pakistan-Afghanistan: પાકિસ્તાનને તાલિબાની ગેરીલા લડવૈયાઓ ધૂળ ચટાવી શકે!, પણ હવાઈ હુમલા ખાળવા મુશ્કેલ!, જાણો કેમ?

‘અમને છેડશો તો અંજામ ખતરનાક હશે!’, ભારતની ધરતી પરથી તાલિબાની નેતા અમીર ખાન મુત્તાકીએ પાકિસ્તાનને આપી ધમકી! | Taliban Threat Pakistan

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

  • Related Posts

    Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?
    • May 4, 2026

    Iran US Nuclear Proposal: ઈરાને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અમેરિકાને એક નવો ૧૪-મુદ્દાનો રાજદ્વારી પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાનો…

    Continue reading
    Indian Americans leaving USA: ટ્રમ્પની નીતિઓથી નારાજ 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા તૈયાર, IAAS સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
    • May 2, 2026

    Indian Americans leaving USA: અમેરિકામાં હાલમાં ભારતીય મૂળના 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ ત્યાંના અર્થતંત્રનો મજબૂત સ્તંભ ગણાય છે. જોકે, કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના ઇન્ડિયન અમેરિકન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 4 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 7 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 9 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 11 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 13 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 11 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત