Viral Video: તાલિબાનનું સમર્થન કરનારને ‘દેશદ્રોહી’ કહેનાર ભાજપે તાલિબાની નેતા માટે લાલ જાજમ બિછાવી!, ‘થુકેલું ચાટવું’ આનું નામ!, જુઓ

  • India
  • October 12, 2025
  • 0 Comments

Viral Video: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સમયે જે વિપક્ષ પર તાલિબાનને બેશરમીથી ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો અને ફરીયાદ પણ થઈ હતી

હવે,એ જ ભાજપ છે કે તેઓ તાલિબાન નેતાની સરભરા કરી રહ્યું છે જે મામલે યુઝર્સ ભાજપ સામે સોશ્યલ મીડિયામાં સવાલો કરી રહયા છે અને યોગી આદિત્યનાથના તાલિબાન વિરોધી જુના વીડિયો અપલોડ કરી તેમને યાદ અપાવી રહયા છે કે બતાવવાના જુદા અને ચાવવાના જુદા…આવા ડબ્બલ સ્ટાન્ડર્ડ કેમ?

તાલિબાન સરકારના મંત્રી અમીર ખાન મુત્તાકી હાલ ભારતના પ્રવાસે છે અને ભાજપ સરકાર દ્વારા તેઓનું લાલ જાજમ બિછાવી સ્વાગત અને સરભરા કરાઈ છે ત્યારે ભૂતકાળમાં તાલિબાનોની ફેવર કરનાર વિપક્ષ નેતા સામે કાયદેસરની કાર્યવાહી કરનાર સરકાર ભેખડે ભરાઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર તાલિબાનના એક મંત્રીની મુલાકાત વિશે પોસ્ટ કરી છે, જેમાં એક તરફ વિદેશમંત્રી એસ. જયશંકર તાલિબાની નેતા એવા અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીનું સ્વાગત કરતા દેખાય છે અને બીજી તરફ યોગીજી તાલિબાની નેતાઓને સમર્થન કરનારાઓ સામે કટાક્ષ કરતા દેખાય છે આ દ્રશ્યો જનતા સામે રિપટ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

હાલતો યોગી આદિત્યનાથના ભૂતકાળના આ નિવેદનો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહયા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તે વખતે રાજ્ય વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, પરંતુ કેટલાક લોકો બેશરમીથી તાલિબાનને ટેકો આપી રહ્યા છે. પણ હવે ખુદ ભાજપ જ જ્યારે તાલિબાન નેતા માટે લાલ જાજમ પાથરે છે ત્યારે થુકેલું ચાટવું પડે તેવો ઘાટ સર્જાયો છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન બર્કે તાલિબાનના સમર્થનમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે તાલિબાનની તુલના સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે તાલિબાને દેશને આઝાદ કરાવ્યો હતો.

આ પછી, શફીકુર રહેમાન બર્ક સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાએ પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તાલિબાન જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.

જોકે,હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને ભાજપ સરકાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી માટે સમર્થનમાં આવી ગયા છે અને જોરદાર સરભરા શરૂ થઈ છે

ગઈકાલે શનિવારે સહારનપુરમાં દક્ષિણ એશિયાની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓમાંની એક દારુલ ઉલૂમ દેવબંદની પણ મુત્તાકી એ મુલાકાત લીધી હતી.

મુત્તાકીની ઉત્તર પ્રદેશની મુલાકાતને લઈને રાજકારણ હવે તેજ બન્યું છે. સંભલના સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની ઉત્તર પ્રદેશની મુલાકાતને લઈને રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જે સરકાર દ્વારા તાલિબાનના સમર્થનમાં નિવેદનો આપવા બદલ તેમના પક્ષના નેતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી તે જ સરકાર હવે તાલિબાન મંત્રીને સુરક્ષા પૂરી પાડી રહી છે અને સરભરા કરી રહી છે આમ હાલમાં બિહારમાં ચૂંટણી દરમિયાન આ મુદ્દો ગરમાયો છે.

આ પણ વાંચો:

Pakistan-Afghanistan: પાકિસ્તાનને તાલિબાની ગેરીલા લડવૈયાઓ ધૂળ ચટાવી શકે!, પણ હવાઈ હુમલા ખાળવા મુશ્કેલ!, જાણો કેમ?

‘અમને છેડશો તો અંજામ ખતરનાક હશે!’, ભારતની ધરતી પરથી તાલિબાની નેતા અમીર ખાન મુત્તાકીએ પાકિસ્તાનને આપી ધમકી! | Taliban Threat Pakistan

Surat Viral Video: જાહેરમાં ભાજપ નેતાઓના તાયફા, રોડ પર ફટાકડા ફોડી જન્મ દિવસ ઉજવતાં કાર્યવાહીની માંગ, જુઓ

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત