Sarpanch Dispute: EVM ની મહેરબાનીથી 3 વર્ષ સુધી રહ્યા સરપંચ, સુપ્રીમ કોર્ટે EVM મંગાવ્યું, ફરીથી મતગણતરી થતા પરિણામ ઉલટું આવ્યું

  • India
  • August 14, 2025
  • 0 Comments

Panipat Sarpanch Dispute Case : હરિયાણામાં યોજાયેલ સરપંચ ચૂંટણી અંગે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. જેમાં હરિયાણાના પાણીપત જિલ્લામાં 2022 ની સરપંચ ચૂંટણીમાં મોહિત કુમાર હારી ગયા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે EVM રિકાઉન્ટનો આદેશ આપ્યો હતો. વીડિયોગ્રાફી સાથેની ગણતરીમાં, તેઓ 1051 મતોથી જીત્યા હતા, જ્યારે કુલદીપ સિંહને 1000 મત મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે પરિણામ ઉલટાવી દીધું. આ આવો પહેલો કેસ છે.

સરપંચની ચૂંટણીમાં ગજબનો ગોટાળો

આ નિર્ણય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એન કોટિશ્વર સિંહની બેન્ચ દ્વારા લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હરિયાણાના પાણીપત જિલ્લાના બુઆના લાખુ ગામની ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીને લઈને ઉભા થયેલા વિવાદ પર આ પગલું ભર્યું હતું. રજૂ કરાયેલા કેસ મુજબ, બુઆના લાખુ ગામના સરપંચ પદ માટે ચૂંટણી 2 નવેમ્બર, 2022 ના રોજ યોજાઈ હતી અને કુલદીપ સિંહને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

મોહિત કુમારે ચૂંટણી પરિણામોને પડકાર્યા

ઉમેદવાર મોહિત કુમારે પરિણામોને પડકારતી અરજી દાખલ કરી હતી. પાણીપતના એડિશનલ સિવિલ જજ (વરિષ્ઠ શ્રેણી)-કમ-ચૂંટણી ટ્રિબ્યુનલએ 22 એપ્રિલ, 2025 ના રોજ આપેલા નિર્ણયમાં બૂથ નંબર 69 ના મતોની પુનઃગણતરીનો આદેશ આપ્યો હતો. 7 મે, 2025 ના રોજ ડેપ્યુટી કમિશનર-કમ-ચૂંટણી અધિકારીને મતોની પુનઃગણતરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી ટ્રિબ્યુનલના આ આદેશને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રદ કર્યો હતો. આ પછી, તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે EVM મંગાવ્યું

31જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલો આવ્યો ત્યારે બેન્ચે EVM અને અન્ય રેકોર્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, કોર્ટે ફક્ત એક બૂથને બદલે તમામ બૂથના મતોની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે 31 જુલાઈના રોજના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કેસના ચોક્કસ તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, ડેપ્યુટી કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી, પાણીપત, હરિયાણાને 06.08.2025 ના રોજ સવારે 10 વાગ્યે આ કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ તમામ EVM રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે, જેમને સેક્રેટરી જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવશે. નામાંકિત રજિસ્ટ્રાર ફક્ત વિવાદિત બૂથ જ નહીં પરંતુ તમામ બૂથના મતોની ગણતરી કરશે. ગણતરીની વિડીયોગ્રાફી કરવામાં આવશે.

ફરીથી મતગણતરી થતા પરિણામ ઉલટું આવ્યું

પુનઃગણતરી 6 ઓગસ્ટના રોજ પક્ષના પ્રતિનિધિઓ અને સહાયક વકીલોની હાજરીમા મત ગણતરી થઈ અને કુલ 3,767 મતોની ગણતરી કરવામાં આવી. પરિણામ ઉલટું આવ્યું. મોહિત કુમારને 1051  મત મળ્યા જ્યારે અગાઉ વિજેતા જાહેર કરાયેલા કુલદીપ સિંહને માત્ર 1000 મત મળ્યા. બાકીના મત અન્ય ઉમેદવારોમાં વહેંચાઈ ગયા. સુપ્રીમ કોર્ટે રિપોર્ટ સ્વીકારીને સમગ્ર પ્રક્રિયાને પારદર્શક ગણાવી અને મોહિત કુમારને બે દિવસમાં ચૂંટાયેલા જાહેર કરવાનો આદેશ આપ્યો.

 કોર્ટે મોહિત કુમારને સરપંચ તરીકે લાયક જાહેર કર્યા

11 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન, બેન્ચે કહ્યું કે આ કોર્ટના ઓએસડી (રજિસ્ટ્રાર) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ નથી. ખાસ કરીને જ્યારે સમગ્ર મતગણતરીની યોગ્ય રીતે વિડિઓગ્રાફી કરવામાં આવી હોય અને પરિણામ પર બંને પક્ષોના પ્રતિનિધિઓની સહીઓ હોય. બેન્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને રદ કર્યો અને મોહિત કુમારને સરપંચ તરીકે ચૂંટવા માટે લાયક જાહેર કર્યા.કોર્ટે પાણીપતના ડેપ્યુટી કમિશનર-કમ-ચૂંટણી અધિકારીને બે દિવસમાં આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં અપીલકર્તા મોહિત કુમારને ઉપરોક્ત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ તરીકે જાહેર કરવામાં આવશે. અપીલકર્તા આ પદ સંભાળવા અને તાત્કાલિક તેમની ફરજો નિભાવવા માટે હકદાર રહેશે.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે પક્ષો હજુ પણ ચૂંટણી ટ્રિબ્યુનલ સમક્ષ બાકી રહેલા કોઈપણ મુદ્દાઓ ઉઠાવી શકે છે, પરંતુ જ્યાં સુધી મતગણતરીના પરિણામનો સંબંધ છે, ચૂંટણી ટ્રિબ્યુનલ સુપ્રીમ કોર્ટના ઓએસડી (રજિસ્ટ્રાર) ના અહેવાલને અંતિમ અને નિર્ણાયક અહેવાલ તરીકે સ્વીકારશે. બેન્ચે વધુમાં આદેશ આપ્યો કે ફરીથી સીલ કરાયેલ અહેવાલ અને EVM ને રેકોર્ડનો ભાગ બનાવવા માટે ચૂંટણી ટ્રિબ્યુનલને મોકલવામાં આવે.

શું અત્યારે ચૂંટણીઓ માત્ર નામની જ રહી છે ? 

આ ઘટના સામે આવતા EVM ની વિશ્વનિયતા પર સવાલો ઉઠ્યા છે. જો સુપ્રીમ કોર્ટમાં ફરીથી મતદાન કરવાથી પરિણામ બદલાઈ શકે છે, તો એ સ્પષ્ટ છે કે EVM પર આંધળો વિશ્વાસ લોકશાહી માટે ખતરો છે. આ ફક્ત પંચાયતનો મામલો નથી, તે લોકશાહીના હૃદયમાં એક પ્રશ્ન છે – શું આપણો મત ખરેખર આપણા નામે ગણાય છે? તાજેતરમાં રાહુલ ગાંધીએ વોટ ચોરીના આક્ષેપ કર્યા હતા, તેના પરથી અને આવી બધી ઘટનાઓ સામે આવતા લાગે છે ખરેખરમાં ચૂંટણીઓમાં કેટલી બધીં ધાંધલીઓ થાય છે જો આ મામલો કોર્ટમાં ન પહોંચ્યો હોત તો આ ધાંધલી સામે ન આવી હોત આવી કેટલા ગોટાળા કરીને ખોટી રીતે લોકો પદ ભોગવતા હશે ?  આ બધી ઘટનાઓથી લોકોને ચૂંટણીપેચ પરથી ભરોસો ઉઠી રહ્યો છે.  પંચાયત હોય કે સંસદ – મત ચોરીનું સત્ય બહાર આવવું જ જોઈએ, નહીં તો ચૂંટણીઓ ફક્ત નામનું જ રહી જશે.

આ પણ વાંચો 

Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત

Uttar Pradesh: માતાને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોયા, લફરું ખુલ્લું પડી જવાના ડરથી બાળક સાથે કર્યુ આવું

UP news:છોકરી બોયફ્રેન્ડ સાથે પિઝા ખાવા ગઈ, તેનો ભાઈ લોખંડનો સળિયો લઈને આવ્યો, પછી જે થયું તે જાણી ચોંકી જશો

gurpatwant pannu threat: આતંકવાદી પન્નુએ રાજધાનની ટ્રેનોને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી, કહ્યું- મુખ્યમંત્રી ઝંડો ફરકાવશે તો ગોળીઓથી…

Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા

 

Related Posts

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ
  • June 24, 2026

Shiv Sena Rebellion History: મુંબઈના રાજકીય ગલિયારાઓમાં શિવસેનાનું નામ આવે એટલે મનમાં બાળાસાહેબ ઠાકરેનું પ્રચંડ વ્યક્તિત્વ અને રસ્તા પરના પ્રચંડ આંદોલનો યાદ આવે. પરંતુ, ૧૯૬૬માં સ્થાપિત થયેલી આ પાર્ટી આજે…

Continue reading
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
  • June 24, 2026

Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 2 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 2 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને