
Patan News : ગત રોજ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે 4 બાળકો સહિત માતા તળાવમાં ડૂબી જતાં મોત થયા હતા. ત્યારે આજે સવારે બાળકો, માતા સહિત પાંચેયના જનાજા નીકળ્યા હતા. પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. બીજી બાજુ ગ્રામજનો પણ સ્તબંધ થઈ ગયા છે.
ઘટના કેવી રીતે બની હતી ઘટના?
ગત રોજ વડાવલી ગામના તળાવમાં એક વ્યક્તિ લપસી ગયા બાદ તેને બચાવવા જતાં અન્ય ચાર લોકો તળાવમાં ડૂબ્યા હતા. જેની જાણ ગ્રામજનોને થતાં દોડી આવ્યા હતા. તળાવમાં ડૂબેલા બાળકો સહિતના લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા પાંચેય બાળકો સહિત મહિલાને મૃત જાહેર કરાયા હતા. આ બનાવની જાણ તંત્રને પણ કરવામાં આવી છે.
ડૂબવાથી મોતને ભેટેલા લોકોના નામ
સોહેલ રહીમભાઈ કુરેશી (ઉં.વ. 14)
સિમરન સલીમભાઈ સિપાહી (ઉં.વ.12)
ફિરોઝા કાલુભાઈ મલેક (ઉં.વ.32)
અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉં.વ.10)
મેહરા કાલુભાઈ મલેક (ઉં.વ.8)
આ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચામાં PM મોદીએ કેમ કહ્યું- માતાપિતા, કૃપા કરીને તમારા બાળકોને સમજો