
PM Modi Bihar Visit: પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી બિહારમાં પહોંચ્યા છે. કારણ કે બિહારની ચૂંટણી યોજવાના દિવસો દૂર નથી. બિહાર પહોંચી મોદીએ ફરીએકવાર વર્ષ 2016 જેવા જ હુંકાર સાથે આતંકવાદને ખતમ કરવાની વાત કરી છે.
પીએમ મોદીએ અહીં ઘણા વિકાસ કાર્યોની ભેટ આપી, પોતાના કાર્યનો ચિતાર આપ્યો. જો કે સવાલ એ પણ થાય છે સમગ્ર દેશ 30 પ્રવાસીઓના મોતથી શોકમગ્ન છે, એવામાં મોદીનો કાર્યક્રમને સંબોધવાનું ચૂક્યા નથી. તેમણે સભા ગજવી છે. જેથી લોકો અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. મોદીના આ પ્રવાસને લોકો ચૂંટણી પ્રચાર ગણાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે સવાલો થાય કારણે હુમલાના ત્રીજા જ દિવસે મોદી બિહાર પહોંચ્યા છે.
National Panchayati Raj Day programme in Madhubani, Bihar. https://t.co/cM06fBSkvY
— Narendra Modi (@narendramodi) April 24, 2025
ન્યાય મળે તે માટે શક્ય હશે તેટલા પ્રયાસો કરાશે: મોદી
બિહારમાં આજે 24 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ રહી છે. બિહારના મધુબનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ ભાગ લીધો છે. જેમાં મોદીએ કહ્યું આજે બિહારની ધરતી પરથી હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે ભારત આતંકવાદને મદદ કરનારઓને શોધી કડકમાં કડક સજા કરશે. આતંકવાદ ક્યારેય ભારતના આત્માને તોડી શકશે નહીં. ન્યાય મળે તે માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવામાં આવશે. આ દુનિયા માનવતાના પક્ષમાં છે તે આપણી સાથે છે. આ સમયે આ દુનિયામાં આપણી સાથે ઉભા રહેલા દરેક વ્યક્તિનો અમે આભારી છીએ.
જો કે PMએ અહીં પોતાની વિકાસ યોજનાઓની વાહ વાહી કરી હતી. તેમણે માછલી ઉદ્યોગ, રોડ રસ્તાના વિકાસની વાતો પણ કરી હતી. બીજી તરફ દેશમાં જીવ ગુમાવનારના પરિવારજનો વલોપાત કરી રહ્યા છે. ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે. સુરક્ષા, સલામતી માગી રહ્યા છે.
આ પણ વાંચોઃ
ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત
Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક
Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?
મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?