Prernantirth: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ દીને રાષ્ટ્રને ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’નું નજરાણું મળ્યું છે,જે ભાજપના નિશાન’ કમળ’ આકારમાં બનાવાયું છે.
લખનૌમાં ગોમતીના કિનારે વસંત કુંજ ખાતે આ સ્મારક રાષ્ટ્રવાદની ત્રિવેણી સમાન ત્રણ મહાન જન નાયકો – ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની કાંસાની 65 ફૂટ ઊંચી પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે અને તે સાથે આ સ્મારક ત્રણેય રાષ્ટ્રીય નાયકો સમર્પિત કરવામાં આવ્યું છે.
65 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું આ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના પ્રતીક સમાન તૈયાર કરાયેલો આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 235 કરોડ રૂપિયાથી વધુ થયો છે.હવે સવાલ એ થઈ રહ્યા છે કે રૂ.૨૩૨ કરોડના ખર્ચે બનેલા પ્રેરણા સ્થળથી દેશને શું પ્રેરણા મળશે?
આ મુદ્દે The Gujarat Report ના MD મયુર જાનીએ ઉત્તર પ્રદેશના રાજનીતિક વિશ્લેષક શિવકુમાર મિશ્રા સાથે ચર્ચા કરી તેઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો જે અત્રે પ્રસ્તુત છે.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
જુઓ વિડીયો
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









