પ્રિયંકા ગાંધીએ ભારત સરકારને કહ્યું- ‘ઈન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો’

  • India
  • December 16, 2024
  • 0 Comments

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે, ત્યારે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પડોશી દેશોમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ સહિત અન્ય લઘુમતીઓને બચાવવાની અપીલ કરી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે વિજય દિવસ છે. 1971માં ભારતે યુદ્ધ કરી પાકિસ્તાન (1971 India-Pakistan War)ને ભોય ભેગું કર્યું હતું, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આ યુદ્ધને ઈન્દિરા ગાંધીની નિર્ણાયક સરકાર અને બહાદુર સૈનિકોએ અંજામ આપ્યો હતો. પ્રિયંકાએ ઈન્દિરા ગાંધીની ઈચ્છા શક્તિનો ઉલ્લેખ કરી મોદી સરકારને અપીલ કરી છે કે, ‘તમે પણ તેમની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો.’

સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા જોઈએ : પ્રિયંકા ગાંધી

તેમણે લોકસભામાં સોમવારે કહ્યું કે, ‘મોદી સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. 1971ના જે બહાદુરો અને શહિદોએ યુદ્ધ લડ્યું હતું, હું તેઓને નમન કરું છું. હું દેશની જનતાને પણ નમન કરું છું. કારણ કે તેમના વગર પાકિસ્તાન સામે વિજય મેળવવો અસંભવ હતો. તે વખતે આપણે એકલા હતા અને બંગાળી ભાઈ-બહેનોનો અવાજ કોઈ સાંભળતું ન હતું. તે સમયે ભારતની જનતા સાથે આવી અને નેતૃત્વ સાથે ઉભી રહી.’

‘ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશનો વિજય થયો’

તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ઈન્દિરા ગાંધીને નમન કરવા ઈચ્છું છું. તેઓ આ દેશના મહાન શહીદ છે. તેમણે પડકારજનક સ્થિતિમાં આવું નેતૃત્વ કરી દેખાડ્યું, જેના કારણે તે દેશનો વિજય થયો. એ લડાઈ સિદ્ધાંતોની હતી. મારો પહેલો મુદ્દો એ છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ અત્યાચાર થઈ રહ્યા છે, તેની સામે મોદી સરકારે અવાજ ઉઠાવવો જોઈએ. સરકારે ત્યાં પીડિત હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો મુદ્દો ઉઠાવવો જોઈએ.

‘ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ તસવીર ઉતારી દેવાઈ’

તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરાત કહ્યું કે, ‘1971માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરીને બાંગ્લાદેશનો વિજય અપાવ્યો હતો. તે વખતે પાકિસ્તાનના 93000 સૈનિકોએ ભારત સામે ઘૂંટણીએ પડી આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની તાકાત સામે શરણાગતિ સ્વિકારી લીધી હતી. ત્યારે ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ની તસવીર ઉતારી દેવાઈ છે. આજે પણ પાકિસ્તાન તે શરણાગતિની તસવીર જોઈને ચિડાઈ જાય છે.

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી