જામીન પર છૂટેલા શખ્સે બસ કંડક્ટરની ઓળખ આપી, પછી બસમાં જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો, લોકો શું કરતા હતા? |Pune Rape Case

  • India
  • February 27, 2025
  • 0 Comments
  • દીદી કહી બોલાવી ગુજાર્યો બળાત્કાર
  • શખ્સે કંડ્ટરની ઓળખ આપી મહિલાને વિશ્વાસમાં લીધી
  • આરોપી ધરાવે છે અનેક ગુનાહિત ઈતિહાસ
  • લૂંટના કેસમાં જેલમાં બંધ આરોપી જામીન પર છૂટ્યો હતો  

Pune Rape Case: દેશમાં રોજે રોજ જઘન્ય અપરાધોની ઘટનાઓ સામે આવી રહી છે. આરોપીઓ ક્રૂર ઘટનાઓને અંજામ આપતાં જરાય ખચકાતા નથી. ત્યારે મહારાષ્ટ્રના પૂણેમાં એક 26 વર્ષિય મહિલા પર બળાત્કાર ગુજારાતાં ખળભળાટ મચી ગયો છે. પુણેના ભીડભાડવાળા સ્વારગેટ બસ સ્ટેશશમાં મંગળવારે ઉભેલી સરકારી બસ પાસે મહિલાને બોલાવી નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં આરોપી 36 વર્ષીય દત્તાત્રેય રામદાસ ગાડે હાલ ફરાર છે. આરોપી પહેલેથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે વિરુદ્ધ પુણે અને અહિલ્યાનગરમાં ચોરી, લૂંટના છ થી સાત કેસ નોંધાયેલા છે. તે 2019 થી જામીન પર છે.

મહિલા પર બળત્કાર બાદ વિરોધનો શૂર

મહારાષ્ટ્રના પુણેમાં થયેલી આ ભયાનક ઘટના બાદ વિરોધનો માહોલ શરૂ થયો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી શહેરભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિપક્ષ મહારાષ્ટ્રના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી-ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર શાબ્દિક પર પ્રહારો કરી રહી છે.

આરોપીએ  મહિલાને ‘દીદી’ કહી બોલાવી પછી બળાત્કાર ગુજાર્યો

પુણેમાં આવેલ સ્વારગેટ બસ ડેપો મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) ના સૌથી મોટા બસ ડેપોમાંનો એક છે. પીડિત મહિલા તબીબી ક્ષેત્રમાં કામ કરે છે. મહિલાએ જણાવ્યું કે તે મંગળવારે (25 ફેબ્રુઆરી) સવારે લગભગ 5.45 વાગ્યે સતારાના ફલટન જવા માટે બસની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સ તેની પાસે આવ્યો અને તેને ‘દીદી’ કહીને બોલાવી હતી. તે શખ્સે કહ્યું કે ફલટનની બસો બીજા પ્લેટફોર્મ પર આવી ગઈ છે.

ખાલી બસમાં આરોપી મહિલાને લઈ ગયો

આ પછી  આરોપી મહિલાને ‘શિવ શાહી’ એસી બસમાં લઈ ગયો હતો. જે સ્ટેશનના બીજા પ્લેટફોર્મ પર ખાલી ઉભી હતી. બસમાં લાઇટ બંધ હતી અને સંપૂર્ણ અંધારું હતું, તેથી મહિલા બસમાં ચઢતા ડરી ગઈ હતી, પરંતુ આરોપીએ વારંવાર તેને કહેવાનો પ્રયાસ કર્યો કે આ સતારાના ફલટન જવા વાળી બસ છે. બસમાં બેસાડ્યા પછી, આરોપીએ મહિલા પર નિર્દયતાથી બળાત્કાર ગુજાર્યો હતો. પછી આરોપી ફરાર થઈ ગયો છે. ભાગતા પહેલા   મહિલાને આ વિશે કોઈને ન કહેવાની ધમકી આપી હતી.

બસ સ્ટેશનના અધિકારીઓને 4 કલાક પછી માહિતી મળી

MSRTC ના અહેવાલ મુજબ, ખાલી એસી બસ 25 ફેબ્રુઆરીના રોજ સવારે 3.40 વાગ્યે સોલાપુરથી આવી હતી અને શેરડીના રસની દુકાનની સામે પાર્ક કરેલી હતી. રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આરોપી વ્યક્તિએ પોતાને બસ કંડક્ટર તરીકેની ઓળખ આપી મહિલાને બસની અંદર લઈ ગયો હતો. સ્વારગેટ બસ સ્ટેશનના અધિકારીઓને ઘટનાની જાણ 4 કલાક પછી સવારે 10 વાગ્યે થઈ હતી.

ઘટના સમયે બસ સ્ટેન્ડ પર ઘણા લોકો હાજર હતા

પોલીસે માહિતી આપી કે તેમણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને મહિલાને આરોપી સાથે બસ તરફ જતી જોઈ હતી. જે સમયે આ ઘટના બની તે સમયે બસ સ્ટેન્ડમાં ઘણી બસો અને લોકો હાજર હતા. ઘટના પછી પીડિત મહિલા તરત જ પોલીસ પાસે  ગઈ ન હતી. પરંતુ બીજી બસમાં પોતાના ઘરે જતી રહી હતી. આ પછી તેણે તેના એક મિત્રને ફોન  કરી સમગ્ર હકીકત જણાવી હતી. પછી, તેના મિત્રએ સલાહ અને હિંમત આપતાં તેણે  પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરી હતી.

આરોપી વિરુદ્ધ પહેલાથી જ અનેક ગુનાઓ નોંધાયેલા

પોલીસે માહિતી આપી છે કે આરોપી ગાડે વિરુદ્ધ પુણેના શિકરાપુર અને શિરુર પોલીસ સ્ટેશનમાં અનેક કેસ નોંધાયેલા છે. તેને શોધવા માટે 8  પોલીસ ટીમો બનાવવામાં આવી છે. અહિલ્યાનગરમાં પણ તેમની સામે ઘણા કેસ નોંધાયેલા છે. તે 2019 માં લૂંટના કેસમાં જામીન પર બહાર આવ્યો હતો અને ત્યારથી તે બહાર છે. આ પછી, વર્ષ 2024 માં, પુણે પોલીસે તેમને ચોરીના કેસમાં સમન્સ પાઠવ્યું છે.

આરોપીના ભાઈની પૂછપરછ

પુણે પોલીસે આરોપી દત્તાત્રેય ગાડેના ભાઈની પૂછપરછ કરી છે. હાલમાં, પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય તકનીકી સહાયની મદદથી આરોપીઓને શોધી રહી છે. તે જ સમયે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ આ મામલાની ગંભીરતાથી તપાસ કરવા અને આરોપીઓને જલ્દીથી ધરપકડ કરવા સૂચનાઓ આપી છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શું કહ્યું

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે આ ઘટના શરમજનક, પીડાદાયક અને અપમાનજનક છે. ગુનેગારને ફાંસી આપવી જોઈએ. તેમણે કહ્યું કે સ્વારગેટ બસ સ્ટેશન પર બનેલી બળાત્કારની ઘટના એક સભ્ય સમાજમાં દરેક માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, પીડાદાયક, ગુસ્સે કરનારી અને શરમજનક છે. આ ગુનો અક્ષમ્ય છે અને તેના માટે મૃત્યુથી ઓછી કોઈ સજા હોઈ શકે નહીં. અજિત પવારે કહ્યું કે તેમણે પુણે પોલીસ કમિશનરને વ્યક્તિગત રીતે આ મામલાની તપાસ કરવા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ એક્શનમાં

ત્યારે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે આ બાબતનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. NCW ના અધ્યક્ષ વિજયા રહાતકરે DGP ને પત્ર લખીને ત્રણ દિવસમાં FIR ની નકલ સાથે કાર્યવાહીનો અહેવાલ મોકલવા જણાવ્યું છે.

 ઉપરાંત પરિવહન વિભાગના મંત્રી પ્રતાપ સરનાઈકે તમામ 33 ખાનગી સુરક્ષા ગાર્ડ્સને સસ્પેન્ડ કર્યા છે અને MSRTCના ડિરેક્ટર વિવેક ભીમનવરને 7  દિવસમાં વિભાગીય તપાસ અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad: 2 હજાર કરોડના GST કૌભાંડમાં 3 IASની સંડોવણીનો આરોપ, પત્રકાર લાંગાની ધરપકડ

આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

આ પણ વાંચોઃ  UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

Related Posts

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી
  • June 16, 2025

Earthquake in Peru: ફરી એકવાર પ્રચંડ ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો.…

Continue reading
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 2 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 4 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 25 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 15 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ