Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

Radhanpur accident: પાટણના સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયંકર છે લોકોના શરીર એકબાજા સાથે ચોટી ગયા છે. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે, પુર ઝડપે આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષાનું પડીકું વળી ગયું છે. રિક્ષામાં રહેલા 6 લોકોના મોત થયા છે.

એસ.ટી બસ રિક્ષાને ઢસડી સીધી રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જેથી બસના આગળનો ભાગ રિક્ષા પર પડતાં રિક્ષામાં રહેલા મુસાફરો દબાઈ ગયા હતા. સાથે સાથે રિક્ષાનો પણ કચ્ચરઘાણ થઈ ગયો છે. રિક્ષામાં દબાઈ ગયેલા તમામ 6 લોકોના મતો થયા છે.  અકસ્માત થતાં રોડ પર લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. આ અકસ્માત કોની બેદકારીને કારણે થયો તે સામે આવ્યું નથી. હાલ મૃતદેહોને 108 મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

મૃતદેહોને બહાર કાઢવા ક્રેન બોલાવવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય પણ દોડી ગયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે કહ્યુ કે આ ભયંકર અકસ્માતમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને સહાય સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. તમામ મૃતકો રાધનપુર તાલુકાના અમરગઢના છે.

મોતને ભેટેલા લોકોના નામ

  1. ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. 70)
  2. ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60)
  3. ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. 75)
  4. ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉં.વ. 70)
  5. ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉં.વ. 35)
  6. ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી (ઉં.વ. 35)

આ પણ વાંચોઃ

Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf

CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

 

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”