Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

  • Gujarat
  • April 17, 2025
  • 2 Comments

Radhanpur accident: પાટણના સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયંકર છે લોકોના શરીર એકબાજા સાથે ચોટી ગયા છે. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે, પુર ઝડપે આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષાનું પડીકું વળી ગયું છે. રિક્ષામાં રહેલા 6 લોકોના મોત થયા છે.

એસ.ટી બસ રિક્ષાને ઢસડી સીધી રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જેથી બસના આગળનો ભાગ રિક્ષા પર પડતાં રિક્ષામાં રહેલા મુસાફરો દબાઈ ગયા હતા. સાથે સાથે રિક્ષાનો પણ કચ્ચરઘાણ થઈ ગયો છે. રિક્ષામાં દબાઈ ગયેલા તમામ 6 લોકોના મતો થયા છે.  અકસ્માત થતાં રોડ પર લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. આ અકસ્માત કોની બેદકારીને કારણે થયો તે સામે આવ્યું નથી. હાલ મૃતદેહોને 108 મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

મૃતદેહોને બહાર કાઢવા ક્રેન બોલાવવાની નોબત આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય પણ દોડી ગયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે કહ્યુ કે આ ભયંકર અકસ્માતમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને સહાય સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. તમામ મૃતકો રાધનપુર તાલુકાના અમરગઢના છે.

મોતને ભેટેલા લોકોના નામ

  1. ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. 70)
  2. ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60)
  3. ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. 75)
  4. ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉં.વ. 70)
  5. ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉં.વ. 35)
  6. ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી (ઉં.વ. 35)

આ પણ વાંચોઃ

Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf

CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

 

Related Posts

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના
  • April 29, 2025

Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે…

Continue reading

One thought on “Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 12 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 15 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 17 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 25 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 28 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 19 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત