CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા

  • India
  • April 17, 2025
  • 3 Comments

CBI Raid  at Durgesh Pathak House: CBI એ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા છે. ગુરુવારે સવારે CBIની એક ટીમ AAP નેતાના ઘરે પહોંચી હતી. CBIના દરોડાના વિરોધમાં આપ નેતાઓએ કેન્દ્ર સરકારને જોરદાર ઘેરી છે.  AAP  નેતાઓનું કહેવું છે કે દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી આપવાની સાથે, સરકારે તેમને બિનજરૂરી રીતે હેરાન કરવા માટે CBI દરોડા પાડ્યા છે.

દુર્ગેશને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સહ-પ્રભારી બનાવાયા

AAP નેતા દુર્ગેશ પાઠકને તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 ના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમને સહ-પ્રભારી બનાવ્યા પછી તરત જ CBI ની કાર્યવાહીથી AAP નેતાઓમાં રોષ ફેલાયો છે. AAP નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર CBIનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ પોતાના ફાયદા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

AAP સાંસદ સંજય સિંહે ભાજપ કર્યા પ્રહાર

પાઠકને ત્યા દરોડા પાડતાં AAP સાંસદ સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “પહેલા પણ AAP ને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમારા સૌથી મોટા નેતા (અરવિંદ કેજરીવાલ) ને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પંજાબ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આજે ફરી એક વાર ભાજપ દ્વારા આવો જ નાપાક પ્રયાસ કરવામાં આવ્યો છે.”

જ્યારે દુર્ગેશ પાઠકને ગુજરાત મોકલવામાં આવતાં CBIએ રેડ પાડી: સંજય સિંહ

સંજય સિંહે વધુમાં કહ્યું, “પીએમ મોદીએ આમ આદમી પાર્ટીના પીએસી સભ્ય અને ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈ મોકલી છે. આનું કારણ એ છે કે અરવિંદ કેજરીવાલે તેમને સંગઠન પર દબાણ લાવવા માટે ગુજરાત મોકલ્યા હતા. ગુજરાતમાં આપને 14 ટકા મત મળ્યા હતા.”

‘ભાજપ ખરાબ હાલતમાં’  

આપના સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ નબળી છે. ગુજરાતના લોકોને AAP પાસેથી આશા છે, પરંતુ તેમણે તેમને ડરાવવા માટે CBI મોકલી છે. પીએમ મોદી ગુજરાતમાં હારની શક્યતાનો સામનો કરી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન

Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

 

 

 

 

 

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ