
રાજસ્થાનના સિરોહી જિલ્લાના નાગડી સ્થિત અમલારી ગામમાં એક સાથે 10 થી 15 વાંદરાઓના મોતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક લોકોએ પહેલા એક કે બે વાંદરાઓ મૃત જોયા, ત્યારબાદ સામાજિક કાર્યકરોની મદદથી તપાસ કરતાં 15 વાંદરાઓ મૃત હાલતમાં મળતાં દફનાવી દેવામાં આવ્યા છે. જો કે વાંદરાઓના મોતથી સ્થાનિકોમાં ભયોનો માહોલ છે. દફનાવતી વખતે ગામલોકોનું ટોળું પણ સ્થળ પર એકઠું થઈ ગયું હતુ.
ગ્રામજનોએ આ અંગે પશુચિકિત્સા અને વન વિભાગની ટીમને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમલારી ગામમાં ખેતીની સિંચાઈ માટે કૂવા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં વાંદરાઓ એકઠા થતાં હતા. વાંદરાઓના મોત મામલે ગ્રામ પંચાયતે કલંદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસની માગ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે 70 વાંદરાઓનું જૂથ હતું. વાંદરાઓના મૃત્યુ પછી, જ્યારે લોકો સવારે નીકળ્યા ત્યારે વાંદરાઓ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ ARVALLIમાં ભયંકર અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત, એક ગંભીર, જુઓ VIDEO
ઝેરી પદાર્થ અપાયોનો આરોપ
અમલારી ગામમાં મળી આવેલા મૃત વાંદરાઓમાંથી કેટલાક બેભાન હતા અને મૃત્યુની આરે હતા. સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે બેભાન વાંદરાઓના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેમના મોંમાંથી નીકળતા ફીણ પરથી એવું લાગતું હતું કે કોઈએ વાંદરાઓને કોઈ ઝેરી પદાર્થ આપ્યો હોઈ શકે છે. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, ફરિયાદમાં જણાવ્યું છે કે કોઈએ વાંદરાઓને ઝેર આપીને મારી નાખ્યા છે.
શાળાએ પહોંચેલા બાળકોને પહેલા મૃત વાંદરાઓ જોયા
મૃત વાંદરાઓ વિશે સૌથી પહેલા શાળાના બાળકોને ખબર પડી હતી. જ્યારે બાળકો શાળાએ જતા હતા ત્યારે તેઓએ એક વાંદરાને ઝાડ પરથી નીચે પડતો જોયો અને જ્યારે તેઓ નજીક ગયા ત્યારે તેમને ખબર પડી કે તે મરી ગયો હતો. આ પછી, જ્યારે બાળકોએ વધુમાં જોયું ત્યારે કેટલાક વાંદરાઓ મૃત હાલતમાં હતા. આ પછી ગ્રામજનોએ તપાસ કરી હતી. ગામમાં લગભગ 60 થી 70 વાંદરાઓનું જૂથ ફરતું હતું, પરંતુ જ્યારે ગ્રામજનોએ મંગળવારે સવારે જોયું તો તેમને એક પણ વાંદરો દેખાયો ન હતો. હાલ વાંદરાઓના મોત મામલે તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ દેવાયત ખવડના ચાલુ ડાયરામાં સ્ટેજ તૂટ્યો, લોકોની ભીડ સ્ટેજ પર ચઢી જતાં બની ઘટના(VIDEO)