Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’

Rajkot: તાજેતરમાં રાજકોટ જીલ્લાના ગોંડલમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં રીબડા ગામના અમિત ખૂંટે 17 વર્ષિય સગીરા પર બળાત્કાર ગુજાર્યાના આરોપ થયા હતા. જોકે આ આક્ષેપ બાદ યુવકે પોતાના ખેતરમાં ઝાડની ડાળીએ ફાંસો બનાવી આપઘાત કરી લીધો છે. જો કે એકાએક યુવાને આપઘાત કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ મામલે મૃતક અમિત ખૂંટના પિતા દામજીભાઈ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ, રાજદીપસિંહ મહીપતસિંહ સામે આપઘાતની દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે એક 17 વર્ષિય સગીરાએ તેના પર બળાત્કારના આક્ષેપ કર્યા હતા. ત્યારથી તે ચિંતામાં હતો. તેના પર આરોપ કરાયા હતા કે  સગીરાને કેફી પીણુ પીવડાવી, બેભાન કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.  સગીરાની બેહેને અમિત ખૂંટ સામે વિડિયો દ્વારા પોલીસને કાર્યવાહી કરવા માગ કરી હતી. સાથે જો કાર્યવાહી નહીં થાય તો આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી. જોકે તે પહેલા જ બળાત્કારના આક્ષેપોનો સામનો કરી રહેલા અમતિ ખૂટે આપઘાત કરી લીધો છે. જેથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ યુવકના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે આરોપીને પકડવા માગ કરી છે. જ્યા સુધી આરોપીઓ પકડવામાં નહીં આવે ત્યા સુધી મૃતદેહ સ્વીકાર કરવાની ના પાડી દીધી છે.

‘ચાર છોકરીએ હનીટ્રેપ કર્યું’

હું અનુભાના દબાણથી ગળાફાંસો ખાવ છું. રાજદીપના ત્રાસથી મરું છું. હું જાઉં છું મારી સાથે આ ચાર છોકરીએ હનીટ્રેપ કર્યું છે. એક આ બધું જે મીડિયામાં બોલે છે એ અને પૂજા રાજગોર. આની સાથે ત્રણ છોકરા છે. આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે. જેમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માગતા’તા. મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે. આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે. હું આ દુનિયા છોડીને જાવ છું.

પોલીસ સાહેબ મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે. હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આ બધાને સખતમાં સખત સજા કરજો. આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલું છે. મારી ઉપર આવું અનેકવાર દમન કરવામાં આવ્યું છે. જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું. પરંતુ અમે નાના માણસો છીએ એમને પહોંચાય એમ નથી.

ભાઈ મંત્ર, સમર્થ અને કિસુ, બીના બધાનું ધ્યાન રાખજે. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. મંત્રને જોઈએ એ લઈ દેજે. હું તો હવે નથી, તારે સ્ત્રી થઈને બધાનું ધ્યાન રાખવાનું છે. ફુલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલો છે. આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ મજબૂર
કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે, આને મને મળવા મજબૂર કરેલ છે.

અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી. એટલે આવી બદનામી વાળી જિંદગી મારે નથી જીવવી. જેથી કરીને હું અને મારો પરિવાર ઊંચું મોં રાખી ગામમાં ના નીકળી શકીએ એવી બદનામી કરી. અનુભા આવુ ના કરાય.

તમારે સમાધાન ક૨વું હતું તો તમે એક ફોન કર્યો હોત તો હું આવી જાત, મેં તમારી આવી આબરૂ કાઢી હોત તો, તમારે યાદ છે ને ગામમાં પણ બધું ખુલ્લુ કરીને મારે હવે તમને બદનામ નથી કરવા. તમારે ખાલી ગામ સાથે આવું તો નહોતું કરવું અને હા મારા તમામ મિત્રોને વિનંતી છે કે, આની ઉપર કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કરજો. ત્યારે મારા જીવને શાંતિ મળશે. તમે મારા ઉપર આવું કર્યું છે ભગવાન તમને બચાવે બીજું શું. કરો રીબડામાં જલસા.

અનુભા અને રાજદીપભાઈને કહેજો જય માતાજી, હવે તમને કોઈ નડવા નહીં આવે.

 

આ પણ વાંચોઃ

Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી

CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

 

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ