Rajkot: જરા પણ ભાજપના ટટ્ટું બન્યા, તો જોવા જેવી થાશે, ઇન્દ્રનીલ રાજ્યગુરુની ચેતવણી

Rajkot: રાજકોટના એક પ્રખ્યાત કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તાજેતરમાં રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ સાથેની એક બેઠકમાં તેમના આકરા વલણને કારણે ચર્ચામાં આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હર્ષદ પટેલ પર ભાજપના “ટટ્ટુ” બનવાનો આરોપ લગાવ્યો અને રાજકોટમાં ભ્રષ્ટાચારના મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. તેમજ રાજકોટના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ ચૂપચાપ સાંભળતા રહ્યા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ડેપ્યુટી કમિશનને ખખડાવ્યા

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ડેપ્યુટી કમિશનને કડક શબ્દોમાં પટેલને ચેતવણી આપી કે, “અમે તમારી તાકાત તમને ગણાવી દીધી, ભાજપના ટટ્ટુ બન્યા તો જોવા જેવું થશે.” આ દરમિયાન હર્ષદ પટેલ ચૂપચાપ સાંભળતા રહ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના રાજકોટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો રાજકીય પ્રભાવ અને આક્રમક અભિગમ ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે.

અધિકારીઓને ભાજપના ટટ્ટું ગણાવ્યા

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, ચોર અધિકારી અને ભાજપ છે. તમે લોકો ચોર છો અને અમે શાહુકાર છીએ તમારી તેવડ આ સરકાર તમને ફક્ત પોલીસનું રક્ષણ આપી શકે. અમે તોફાન કરીએ તો પોલીસ અમને બે પાંચ દિવસ જેલમાં રાખી શકે અમે બળાત્કારી કે લૂંટણીયા નથી કે, અમને ઝાઝા જેલમાં રાખી શકે. પોલીસની તાકાત ચાર લાઠીઓ મારવાથી વધારે નથી. આ લોકશાહી છે એટલે જરા પણ ભાજપના ટટ્ટું બન્યા, તો જોવા જેવી થાશે, તમારી તાકાત અમે તમને જણાવી દીધી, પોલીસની લાઠી સિવાય તમારી કોઈ તાકાત નથી. નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. પ્રજાના પૈસાનો પગાર લ્યો છો અને ગોઠણીએ ભાજપના પડી ગયા છો. શરમ છે કે, નઈ, હવે તમે કેદી સુધરશો તે અમને કહો.

ઈન્દ્રનીલ રાજ્યગુરુનો ઇતિહાસ

ઈનદ્રનીલ રાજ્યગુરુનો ઇતિહાસ પણ રાજકોટની રાજનીતિમાં નોંધપાત્ર રહ્યો છે. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-69 બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હાર્યા હતા. ત્યારબાદ તેમણે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ 2022માં ફરી કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.

મહાત્મા ગાંધીને “લુચ્ચા” કહેતા થઈ હતી ટીકા

ઈનદ્રનીલ રાજ્યગુરુ અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. 2024માં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ રાહુલ ગાંધીના વખાણ કરતાં મહાત્મા ગાંધીને “લુચ્ચા” કહેતા સંભળાયા હતા, જેના કારણે ભારે ટીકા થઈ હતી.

આ પણ વાંચોઃ 

Ghaziabad Crime News: Blinkit અને Swiggy ના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા, બંદૂકની અણીએ લૂંટ, લાખોના ઘરેણાં લઈ ફરાર

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી

Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા

Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો

  • Related Posts

    Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર
    • September 10, 2026

    Gopal Italia: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે અને પ્રથમ દિવસે જ ખેડૂતો, દુષ્કાળ, વીજળી, જૂના કાયદા તથા શહેરોના ટાઉન પ્લાનિંગ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આમ…

    Continue reading
    Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?
    • September 10, 2026

    Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું આ વખતનું ચોમાસુ સત્ર માત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવતા તેની કાર્યવાહી અને પ્રજાના પ્રશ્નો પર થનારી ચર્ચાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિધાનસભાનું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

    • September 10, 2026
    • 2 views
    AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

    Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

    • September 10, 2026
    • 2 views
    Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

    SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

    • September 10, 2026
    • 4 views
    SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

    Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

    • September 10, 2026
    • 9 views
    Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

    Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

    • September 10, 2026
    • 5 views
    Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

    Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

    • September 10, 2026
    • 8 views
    Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?