Rajkot: મિલકતમાં ભાગ પડાવવા ફઈએ ભત્રીજીને ઉઠાવી લીધી, વકીલ સાથે કરી સાંઠગાંઠ, બાદમાં વકીલે ઝેર પીધુ, જાણો સમગ્ર મામલો

 Father’s sister kidnapped niece In Rajkot: રાજકોટ શહેરના અલ્કાપુરી મેઇન રોડ પર રહેતા વેપારી પરિવારની 6 વર્ષની બાળકી અનાયા અને તેની 44 વર્ષની ફઈ રીમા માખાણીના ગુમ થવાના પ્રકરણે ચકચાર મચાવ્યો હતો. રાજકોટ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, જેમાં સનસનીખેજ હકીકત બહાર આવી કે આ ગુમ થવાની ઘટના ખરેખર એક સુનિયોજિત અપહરણનું કાવતરું હતું. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે રીમા માખાણી અને રેલનગરના વકીલ રાજવીરસિંહ ઝાલા નીકળ્યા, જેમણે વારસાઈ મિલકતના વિવાદમાંથી લાભ મેળવવા આ ષડયંત્ર રચ્યું હતું.

અપહરણની ફરિયાદ અને પોલીસ તપાસ

24 જુલાઈ, 2025ના રોજ રિયાઝ માખાણીની ફરિયાદના આધારે રાજકોટ પોલીસે અનાયા અને રીમા માખાણીના અપહરણનો ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધ્યો હતો. ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની આગેવાની હેઠળ પોલીસે તપાસ શરૂ કરી, અને શરૂઆતથી જ રીમા માખાણી શંકાના દાયરામાં હતી. 31 જુલાઈના રોજ ઇન્દોરથી રીમા અને અનાયાને શોધી કાઢવામાં આવ્યા, પરંતુ ઊલટ પૂછપરછમાં રીમા ભાંગી પડી અને તેણે આખું કાવતરું કબૂલી લીધું.

રીમાએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, તેના પિતાની કરોડો રૂપિયાની મિલકતમાંથી પોતાનો હિસ્સો મેળવવા માટે તેણે આ અપહરણનું નાટક રચ્યું હતું. તેના ભાઈ રિયાઝ માખાણીએ મિલકત પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ રીમાએ લગાવ્યો. દોઢ વર્ષ પહેલાં રિયાઝે વીડિયોગ્રાફી દ્વારા રીમાનો મિલકતમાંથી હિસ્સો હટાવ્યો હતો, જેનાથી રીમા નારાજ હતી. આ બાબતે તેણે જામનગરમાં રહેતી સહેલી સાથે વાત કરી, જેણે રીમાને રાજકોટના વકીલ રાજવીરસિંહ ઝાલાનો સંપર્ક કરવાની સલાહ આપી.

કાવતરું અને અપહરણનું નાટક

રીમા આઠ મહિના પહેલાં રાજવીરસિંહ ઝાલાને મળી અને મિલકતનો હિસ્સો મેળવવા કાનૂની રીતે પ્રયાસ કર્યા. જોકે, કાનૂની માર્ગે સફળતા ન મળવાના એંધાણથી બંનેએ અપહરણનું કાવતરું ઘડ્યું. આ યોજના મુજબ, રીમાએ પોતાની 6 વર્ષની ભત્રીજી અનાયાને સાથે રાખી, જેથી રિયાઝ પર દબાણ આવે અને તે ખંડણી તરીકે પૈસા આપે. 24 જુલાઈના રોજ રીમા અનાયાને લઈને ઘરેથી નીકળી, અને રાજવીરસિંહ ઝાલાએ ફનવર્લ્ડની સામે મોઢે બુકાની બાંધી, હાથમાં છરી લઈને બંનેને કારમાં લઈ ગયો. આ પછી તેઓ રાજકોટથી મોરબી, ભુજ, રાજસ્થાનના ડુંગરપુર અને અંતે ઇન્દોર પહોંચ્યા. ઇન્દોરમાં રાજવીરસિંહે રીમા અને અનાયાને છોડી દીધા અને પોતે નાસી ગયો.

પોલીસની તપાસ અને રાજવીરસિંહનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ પોલીસે રીમા અને અનાયાને ઇન્દોરથી શોધી કાઢ્યા બાદ રીમાની ધરપકડ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજવીરસિંહ ઝાલાએ ખંડણી માગવા રિયાઝને ઇન્ટરનેશનલ નંબરથી ફોન કર્યો હતો અને હિન્દીમાં મેસેજ મોકલ્યો હતો કે, “તુમ્હારી પત્ની ઔર બેટી હમારે કબ્જેમે હૈ.” જોકે, રિયાઝે આ ફોન અને મેસેજનો જવાબ ન આપ્યો, જેના કારણે કાવતરું સફળ થયું નહીં. પોલીસે રાજવીરસિંહ ઝાલાને શોધવા તપાસ તેજ કરી, અને જાણવા મળ્યું કે તેણે ઇન્દોરમાં રીમા અને અનાયાને છોડ્યા બાદ બે મોબાઇલ અને સિમકાર્ડ તોડી નાખ્યા હતા. ત્યારબાદ તે ઉજ્જૈન પહોંચ્યો અને ત્યાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ રાજવીરસિંહ ઝાલા ઉજ્જૈનના બડનગરમાં ગીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને રાજકોટ પોલીસે તેના પર જાપ્તો ગોઠવી દીધો છે. તેને હોસ્પિટલમાંથી રજા મળતાં જ રાજકોટ લાવવામાં આવશે.

મિલકતનો વિવાદ અને રીમાની ભૂમિકા

રીમા માખાણીએ પોલીસને જણાવ્યું કે, તેના પિતાની કરોડો રૂપિયાની મિલકતમાં તેનો હિસ્સો હતો, પરંતુ રિયાઝે તેને હિસ્સો આપવાનો ઇનકાર કર્યો હતો. આ વિવાદને કારણે રીમાએ રાજવીરસિંહ ઝાલાની સલાહથી અપહરણનું નાટક રચ્યું, જેમાં નાની બાળકી અનાયાનો ઉપયોગ રિયાઝ પર દબાણ લાવવા માટે કરવામાં આવ્યો. આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે, કારણ કે ઘરના જ સભ્યની આવી વરવી ભૂમિકા બહાર આવી છે.

પોલીસનું નિવેદનડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, “આ કેસમાં રીમા માખાણી અને રાજવીરસિંહ ઝાલાએ મળીને અપહરણનું ષડયંત્ર ઘડ્યું હતું. રીમાની ધરપકડ કરવામાં આવી છે, અને રાજવીરસિંહ ઝાલાને ટૂંક સમયમાં રાજકોટ લાવી વધુ તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં બાળકીની સુરક્ષા અમારી પ્રાથમિકતા હતી, અને હવે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” આ ઘટનાએ રાજકોટ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નાની બાળકીનો ઉપયોગ મિલકતના વિવાદમાં કરવામાં આવ્યો તેની નિંદા થઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ આ ઘટનાને “અત્યંત નિંદનીય” ગણાવી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચો:

RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં

Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?

Odisha: આત્મદાહ કરનાર વિદ્યાર્થિનીના મોતથી ભારે આક્રોશ, પ્રોફેસર સમીર સાહુએ વિદ્યાર્થીને કહ્યું હતુ ‘તું બાળક નથી, સમજી શકે છે કે હું શું કરવા માગું છું’

Ahmedabad: બાપુનગરમાં 7 વર્ષની બાળકીના રેપ-હત્યા કેસમાં 16 વર્ષ બાદ 2 શંકાસ્પદ શખ્સોની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ

Delhi: રાજ્યસભામાં CISF જવાનો તૈનાત કરાતાં હોબાળો, લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ

UP: વિદ્યાર્થિની બસમાં દિલ્હી જતી હતી, બસ રોકતાં શૌચાલય જવા ઉતરી, પછી 4 શખ્સોએ પીછો કરી જે કર્યું તે જાણી ચોકી જશો!

UP: પ્રેમીએ પ્રેમિકાને પીડાવ્યો દારુ, પછી ગુપ્તાંગમાં હાથ નાખી મોતને ઘાટ ઉતારી, આ રીતે લીધો પિતાનો મોતનો બદલો, હચમચાવી નાખતો કિસ્સો

 

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 3 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 8 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો