Mega Demolition: અમદાવાદ બાદ હવે રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનથી ફફડ્યા રહીશો! ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે “આશરો” તૂટશે!

  • Gujarat
  • February 21, 2026
  • 0 Comments

■ રાજકોટના જંગલેશ્વર-નાડોદા નગરમાં લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા જણાવતા ગરીબ પરિવારોમાં વ્યથા

Mega Demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવ્યા બાદ ગઈ તા.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેર કરાયું કે, આગામી તા.23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.

આ મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાય તે પહેલાં અહીં વસવાટ કરતા પરિવારોને તેમના મકાનો ખાલી કરવા જણાવી દેવામાં આવ્યું છે અને આજે અહીં તંત્રના માણસો દ્વારા પોલીસની હાજરીમાં લોકોને આખો દિવસ સમજાવવાનું શરૂ થયું છે.

ડીમોલેશન માટે તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિસ્તારના લોકોને પણ બે દિવસમાં જાતે જ મકાનો ખાલી કરી દેવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે, અન્યથા કોઈ જાનમાલ નુકશાન થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં તેવુ પણ જણાવી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ઘર છોડવાની વ્યથા જોવા મળી રહી છે અને કેટલાક ઘર ખાલી નહિ કરીએ તેમ જણાવતા ઘર્ષણ ટાળવા મોટો પોલીસ કાફલો સાથે રાખી ડીમોલેશન કામગીરી હાથ ધરાનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.વિગતો મુજબ રાજકોટના જંગલેશ્વરની 78 સોસાયટીઓ સહિત આસપાસના લગભગ 1400થી વધુ ગેરકાયદેસર બાંધકામો હઠાવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સાબધું બન્યું છે.

આ કામગીરીના ભાગરૂપે આજે ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં કોર્પોરેશન અને પોલીસ ખાતાના લગભગ 2000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ભેગા થયા છે. જેમાં કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ આજે 21 ફેબ્રુઆરીને શનિવારે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે. આજે સવારથી શરૂ થયેલી આ કામગારી સાંજના 6 વાગ્યા સુધી ચાલનાર છે.આ સૌથી મોટા ડીમોલેશનને લઈ અહીં વસતા સેંકડો પરિવારોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

ડીમોલેશન માટે તંત્રનું કહેવું છે કે પ્લાન્ડ રોડ નેટવર્કને ખુલ્લું કરવાના ઉદ્દેશ્ય સિવાય ચોમાસા દરમિયાન નદીના પટમાં પાણી ભરાવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ થતી હતી, તેથી ભવિષ્યમાં પૂર સહિતની કોઈ હોનારત સમયે જાન-માલનું નુકસાન અટકાવી શકાય તે માટે પ્રિવેન્ટિવ પગલના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.

ડીમોલેશન અગાઉ PGVCL સહિતના અન્ય સરકારી વિભાગો સાથે પણ સંકલન થઈ ગયું છે,જેથી લાઈટના થાંભલા સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવી શકાય.ડીમોલેશન અગાઉ તમામ દબાણકર્તાઓને નોટિસ આપી દેવામાં આવી છે જોકે,અહીંના બેઘર લોકોનું શુ થશે? તે સવાલ વચ્ચે તંત્ર એવા લોકોને મકાન આપશે જેઓ સરકારી સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા હોય. આવા નાગરિકોને અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે જોકે,બાકીના ક્યાં જશે તે જાણી શકાયું નથી પણ 23મીએ અમદાવાદ બાદ રાજકોટનું આ સૌથી મોટું ડીમોલેશન થવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકો ફફડી ઉઠ્યા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Harsh Sanghvi: હવેથી ‘Love Marriage’માં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે!ભાગીને લગ્ન કરવાર કપલે “માતાપિતા”ની સહમતિના પુરાવા આપવા પડશે!
  • February 21, 2026

Harsh Sanghvi: એક દીકરી કે જેને માતાપિતા ખૂબજ પ્રેમ કરતા હોય છે અને તેના સારા ભવિષ્યના સપના જોતા હોય છે પણ જ્યારે દીકરી કોઈ અજાણ્યા ઇસમની ‘પ્રેમ જાળ’માં ફસાઈને નાદાન…

Continue reading
Jignesh Mevani: જીગ્નેશ મેવાણીએ મહિલાઓને ‘કમલમ્’ ન જવાની સલાહ કેમ આપી? કારણ જાણી ચોંકી જશો!
  • February 20, 2026

Jignesh Mevani: કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જન આક્રોશ રેલી દરમિયાન કરેલી વાતોના અંશો વાયરલ થઈ રહયા છે જેમાં તેઓએ ભાજપ માટે ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. એપસ્ટિન ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ટ્રમ્પે સુપ્રીમના ચુકાદા બાદ માત્ર 3 કલાકમાં ફરી 10 ટકા ટેરીફ લગાવ્યો! વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

  • February 21, 2026
  • 3 views
Donald Trump: ટ્રમ્પે સુપ્રીમના ચુકાદા બાદ માત્ર 3 કલાકમાં ફરી 10 ટકા ટેરીફ લગાવ્યો! વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

Parul University: પારુલ યુનિના બુઢ્ઢા સંચાલકે બીજા વર્ષમાં ભણતી સ્ટુડન્ટ ઉપર રેપ કર્યાની ઘટનાએ ભારે ધમાલ મચાવી હતી! ગેરકાયદે એડમિશન મામલે પણ યુનિ બદનામ થઈ હતી! જાણો સમગ્ર મામલો

  • February 21, 2026
  • 10 views
Parul University: પારુલ યુનિના બુઢ્ઢા સંચાલકે બીજા વર્ષમાં ભણતી સ્ટુડન્ટ ઉપર રેપ કર્યાની ઘટનાએ ભારે ધમાલ મચાવી હતી! ગેરકાયદે એડમિશન મામલે પણ યુનિ બદનામ થઈ હતી! જાણો સમગ્ર મામલો

BJP: રાજ્યના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બાવા-સાધુઓના ચક્કરમાં ન પડે ! હિંદુત્વ ખતરામાં કે ભાવિ પેઢી ખતરામાં ? જુઓ ખાસ વિશ્લેષણ

  • February 21, 2026
  • 5 views
BJP: રાજ્યના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બાવા-સાધુઓના ચક્કરમાં ન પડે ! હિંદુત્વ ખતરામાં કે ભાવિ પેઢી ખતરામાં ? જુઓ ખાસ વિશ્લેષણ

Mega Demolition: અમદાવાદ બાદ હવે રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનથી ફફડ્યા રહીશો! ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે “આશરો” તૂટશે!

  • February 21, 2026
  • 7 views
Mega Demolition: અમદાવાદ બાદ હવે રાજકોટમાં સૌથી મોટા ડિમોલિશનથી ફફડ્યા રહીશો! ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે “આશરો” તૂટશે!

Rahul Gandhi: રાહુલ ગાંધીએ AI સમિટને PR તમાશો ગણાવ્યો! થરૂરે કહ્યું, મોટા આયોજનોમાં ભૂલ થવી સામાન્ય છે!

  • February 21, 2026
  • 8 views
Rahul Gandhi: રાહુલ ગાંધીએ AI સમિટને PR તમાશો ગણાવ્યો! થરૂરે કહ્યું, મોટા આયોજનોમાં ભૂલ થવી સામાન્ય છે!

Harsh Sanghvi: હવેથી ‘Love Marriage’માં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે!ભાગીને લગ્ન કરવાર કપલે “માતાપિતા”ની સહમતિના પુરાવા આપવા પડશે!

  • February 21, 2026
  • 9 views
Harsh Sanghvi: હવેથી ‘Love Marriage’માં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે!ભાગીને લગ્ન કરવાર કપલે “માતાપિતા”ની સહમતિના પુરાવા આપવા પડશે!