દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas

Dharmaswarupdas bail-cancelled: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બેફામ બની રહ્યા છે. કંઈને કંઈ વાણીવીલાસ કરે છે. ઘણા સ્વામીઓ  મહિલા, બાળકો પર દુષ્કર્મ કરતાં ઝડપાયા છે. ત્યારે દુષ્કર્મના એક આરોપી સ્વામીની આગતરો જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

વર્ષ 2024માં સ્વામી ધર્મસ્વરૂપદાસ વિરુધ્ધ ગુરુકુળમાં રહેતી મહિલાએ રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાના આરોપ લગાવ્યા હતા. ત્યારથી સ્વામી વિદેશમાં ફરાર થઈ ગયા છે. વિદેશ રહી હાઈકોર્ટમાં આગોતરા જામીનની માગ કરી હતી. જો કે કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. જેથી સ્વામી મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ધર્મસ્વરુપદાસએ મહિલા પર ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યાના આરોપ

 મહિલાનો આરોપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મસ્વરૂપદાસએ તેને એક ગેસ્ટ હાઉસની રુમમાં લઈ ગયો હતો. જ્યા તેણે મહિલા સાથે  શરીર સંબંધો બાંધ્યા હતા. જેથી મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો. દીક્ષા આપવાનો અધિકાર માત્ર વડતાલ ધામને છે, તેમ છતાં સ્વામી ધર્મસ્વરૂપદાસે ગુરુકુળમાં મહિલાને દીક્ષા આપી હતી.

આરોપી ધર્મસ્વરૂપદાસે આગોતરા જામીન અરજીમાં પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે યુવતીના માતા-પિતા તેને સાધ્વી બનવું હોવાથી ખીરસરા ગુરુકુળમાં મૂકી ગયા હતા. યુવતી પુખ્તવયની છે અને ગેસ્ટહાઉસમાં તેની સાથે લગ્ન કરેલા છે. આ સંબંધો સહમતિથી હતા, તેથી દુષ્કર્મનો કેસ ન ગણી શકાય. જો કે બળાત્કારનો કેસ થયો ત્યારથી સ્વામી ન્યૂયોર્ક છે, અને તેણે ત્યાથી આગોતરા જામીન અરજી કરી હતી.

રાજકોટ કોર્ટે પણ જામીન ફગાવ્યા હતા

પહેલા રાજકોટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો ત્યા પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સોગંદનામા સાથે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અહીં પણ અરજી ફગાવી દેવાાં આવી છે. સાથે સાથે દુષ્કર્મના આરોપી ધર્મસ્વરૂપદાસ  સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જેથી તેની વિદેશમાંથી પણ ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

આ પણ વાંચો: Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

Related Posts

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 7 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 5 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 20 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?