
Dharmaswarupdas bail-cancelled: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બેફામ બની રહ્યા છે. કંઈને કંઈ વાણીવીલાસ કરે છે. ઘણા સ્વામીઓ મહિલા, બાળકો પર દુષ્કર્મ કરતાં ઝડપાયા છે. ત્યારે દુષ્કર્મના એક આરોપી સ્વામીની આગતરો જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
વર્ષ 2024માં સ્વામી ધર્મસ્વરૂપદાસ વિરુધ્ધ ગુરુકુળમાં રહેતી મહિલાએ રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાના આરોપ લગાવ્યા હતા. ત્યારથી સ્વામી વિદેશમાં ફરાર થઈ ગયા છે. વિદેશ રહી હાઈકોર્ટમાં આગોતરા જામીનની માગ કરી હતી. જો કે કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. જેથી સ્વામી મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ધર્મસ્વરુપદાસએ મહિલા પર ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યાના આરોપ
મહિલાનો આરોપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મસ્વરૂપદાસએ તેને એક ગેસ્ટ હાઉસની રુમમાં લઈ ગયો હતો. જ્યા તેણે મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા હતા. જેથી મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો. દીક્ષા આપવાનો અધિકાર માત્ર વડતાલ ધામને છે, તેમ છતાં સ્વામી ધર્મસ્વરૂપદાસે ગુરુકુળમાં મહિલાને દીક્ષા આપી હતી.
આરોપી ધર્મસ્વરૂપદાસે આગોતરા જામીન અરજીમાં પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે યુવતીના માતા-પિતા તેને સાધ્વી બનવું હોવાથી ખીરસરા ગુરુકુળમાં મૂકી ગયા હતા. યુવતી પુખ્તવયની છે અને ગેસ્ટહાઉસમાં તેની સાથે લગ્ન કરેલા છે. આ સંબંધો સહમતિથી હતા, તેથી દુષ્કર્મનો કેસ ન ગણી શકાય. જો કે બળાત્કારનો કેસ થયો ત્યારથી સ્વામી ન્યૂયોર્ક છે, અને તેણે ત્યાથી આગોતરા જામીન અરજી કરી હતી.
રાજકોટ કોર્ટે પણ જામીન ફગાવ્યા હતા
પહેલા રાજકોટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો ત્યા પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સોગંદનામા સાથે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અહીં પણ અરજી ફગાવી દેવાાં આવી છે. સાથે સાથે દુષ્કર્મના આરોપી ધર્મસ્વરૂપદાસ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જેથી તેની વિદેશમાંથી પણ ધરપકડ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash
આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?