પ્રધાનમંત્રીની ઘટતી પ્રતિષ્ઠા અને નિષ્ફળતાનું કારણ છે વડાપ્રધાન નિવાસના વાસ્તુદોષ

  • Others
  • February 28, 2025
  • 0 Comments
  • પ્રધાનમંત્રીની ઘટતી પ્રતિષ્ઠા અને નિષ્ફળતાનું કારણ છે વડાપ્રધાન નિવાસના વાસ્તુદોષ

ભારતના વડાપ્રધાનનું નિવાસ અને કાર્યસ્થળ 7 લોક કલ્યાણ માર્ગ છે, જે સપ્ટેમ્બર 2016થી પહેલા 7 રેસકોર્સ (7 RCR) નામથી પણ ઓળખાતું હતુ. 12 એકર ભૂમિમાં ફેલાયેલા આ પરિસરમાં બનેલા બંગલાના નંબર 1, 3, 5, 7, 9 અને 11 છે. આમાં નિવાસ કરનારાઓમાં રાજીવ ગાંધી પ્રથમ પ્રધાનમંત્રી હતી, તેઓ 1984માં અહીં રહેવા માટે આવ્યા હતા.

પ્રધાનમંત્રીને યાત્રાઓ માટે એરપોર્ટ જવામાં સુવિધા રહે અને જનતાને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો ન કરવો પડે, તેથી પ્રધાનમંત્રી નિવાસથી ટનલનું કામ વર્ષ 2010થી શરૂ કરવામાં આવ્યું અને 2014માં પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. આ ટનલનો ઉપયોગ કરનારાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ છે. દોઢ કિલોમીટર લાંબી અંડલ ગ્રાઉન્ડ ટનલ વડાપ્રધાન નિવાસથી સદફરજંગ એરપોર્ટ સાથે જોડાયેલી છે.

વાસ્તુ વિશ્લેષણ માટે આ પરિસરનો પ્લાન ગૂગલ અર્થ પર જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે 7 લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પ્રધાનમંત્રી નિવાસ સ્થાન વિદિશા ભૂખંડર બન બનેલું છે, જેની દિશાઓ મધ્યની જગ્યાએ ખુણાઓ ઉપર છે. આમ આ પરિસરની ઉત્તર અને પૂર્વ દિશાની જેમ ત્રણમૂર્તિની લેણની તરફ છે અને દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશામાં રેસ કોર્સ રોડ (લોક કલ્યાણ) છે.

 પ્રધાનમંત્રી નિવાસ સ્થાનને ગૂગલ અર્થમાં જોવા પર સ્પષ્ટ રીતે દેખી શકાય છે કે, આ પરિસરનો ઉત્તર ઈશાન ખુણો દબાયેલો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવા પ્લોટ પર બનેલા ભવનમાં રહેનારાઓનો યશ, સમ્માન અને પ્રતિષ્ઠા ઓછી થાય છે. આ કારણે 7 રેસકોર્સ પરિસરમાં જેટલા પણ પ્રધાનમંત્રી રહ્યા, તે દરમિયાન તેમની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો અને તેમણે અપયશનો (નિષ્ફળતા) સામનો કરવો પડ્યો. 7 રેસકોર્સ પરિસરને છોડ્યા પછી લગભગ બધા પૂર્વ પ્રધાનમંત્રીઓને પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોની પ્રશંસા થવા લાગી હતી. આજ કારણ છે કે, દેશહિતમાં અથાગ કોશિશ કર્યા પછી પણ આવી જ સ્થિતિનો સામનો પીએમ મોદીને પણ કરવી પડી રહી છે.

આ પણ વાંચો-માણસ અંદરથી આહત થઈ સળગ્યા કરતો હોય તે અગ્નિ જ રૂપાંતરિત થઈ પ્રભુ પ્રેમનો અગ્નિ બને છે?

આ સંકુલ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા સાથે પશ્ચિમમુખી વિસ્તરણ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવા પ્લોટ પર બનેલા ઘરમાં નિવાસ કરનારાઓને બેચેની, અપમાન અને અનેક ચિંતાઓનો સામનો કરવો પડે છે. જો પરિસરનો ઈશાન ખૂણો નીચે હોય અને વાયવ્ય ખૂણો ઉંચો હોય, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવા ઘરોમાં નિવાસ કરનારાઓના શત્રુઓની સંખ્યા વધી જાય છે.

સફદરજંગ એરપોર્ટ પ્રધાનમંત્રીનું નિવાસ પશ્ચિમ દિશામાં દક્ષિણ પશ્ચિમ દિશા તરફ અને ટનલના માધ્યમથી માત્ર દોઢ કિલોમીટર દૂર સ્થિત છે. આ અંતરને જોતા નિશ્વિત રીતે પ્રધાનમંત્રી નિવાસના દક્ષિણપશ્ચિમ દિશા અથવા તેની આસપાસથી જ પ્રારંભ થઈ રહી હશે. આ પ્રકાર પરિસરના દક્ષિણ પશ્ચિમ દિશામાં ટનલના કારણે ખાડો (નીચાણવાળો ભાગ) થઈ ગયો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો પશ્ચિમ દક્ષિણ દિશામાં કોઈપણ પ્રકારનો ખાડો હોય તો ત્યાં રહેનારા લોકોના ધન નષ્ટ થશે. અપયશ મળશે, રોગોથી પીડિત થશે અને તેમને સતત મૃત્યુંનો ડર રહેશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઈશાન ખુણો દબાયેલો હોય અને નૈઋત્ય ( દક્ષિણ પશ્ચિમ દિશા) દિશામાં ખાડો હોય તો ત્યાં નિવાસ કરનારાઓમાંથી જેનું ભાગ્ય નબળું હશે તેના સાથે ગમે ત્યારે અપ્રિય ઘટના ઘટી શકે છે.

પ્રધાનમંત્રી નિવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પરિસરના વાસ્તુદોષોને જોતા તેવું કહી શકાય કે પ્રધાનમંત્રી અને ત્યાં રહેનારા લોકોની સુરક્ષા પર વધારે ધ્યાન આપવું જોઈએ. આ સાથે જ પરિસરના વાસ્તુદોષોને દૂર કરવા જોઈએ. જેથી અહીં રહેનારા પ્રધાનમંત્રી સુરક્ષિત રહે અને તેમની પોતાની ઘટતી પ્રતિષ્ઠાની સાથે અપયશનો ન કરવો પડે.

આ પણ વાંચો-Kheda: નડિયાદમાં 3 લોકોના મોત મામલે મોટો ખુલાસો? જુઓ શું બહાર આવ્યું?

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?