Sabarmati: અમદાવાદમાં સાબરમતી નદી પર રૂ. 367 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ રબર-કમ-બેરેજ-કમ-બ્રિજનું નિર્માણ ચાલુ છે. પશ્ચિમમાં સાબરમતી અચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર વચ્ચે સાબરમતી નદી પર એક કિલોમીટર લંબાઈનો 1048.08 મીટરનો છ લેનનો પુલ બનવાનું કામ ચાલુ છે.
આ હબ મેટ્રો, BRTS, સાબરમતી રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.સાબરમતીના 6 સ્ટેશનનાનામમાં મુસાફરો અટવાઈ રહ્યા છે.સાબરમતીના 6 સ્ટેશનોના નામમાં ગોટાળાને લઈ મુંઝવણ ઉભી થઇ છે.અહીંના સ્થાનિક અગ્રણી મુકેશ દવે એ વિસ્તુત જાણકારી આપી છે જે જોવાનું ચૂકશો નહિ.
અહીં બ્રિજની બંને બાજુએ રિવરફ્રન્ટ રોડ પરથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે, જે તેને મુખ્ય પુલ સાથે જોડાશે. બ્રિજના નિર્માણ બાદ સાબરમતીથી કેમ્પ સદર બજાર થઈને એરપોર્ટ સુધી પહોંચવામાં સરળતા રહેશે. આ પ્રોજેક્ટ એપ્રિલ 2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
એરપોર્ટ સુધી પહોંચવાની ઉપલબ્ધ થશે સુવિધા સાબરમતી ટોરેન્ટ પાવર સ્ટેશન (BRTS) રોડથી કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ની બંને બાજુના રસ્તાઓને જોડતો પુલ બનાવવામાં આવશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરાથી પૂર્વ વિસ્તારમાં હાંસોલ અને એરપોર્ટ સુધી સીધું કનેક્ટિવિટી હશે. ટ્રાફિકની સમસ્યા ઘણી હદે ઓછી થશે.બેરેજ કમ બ્રિજના રબર બેરેજનું સંચાલન અને જાળવણી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પર આધારિત છે
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા





