શાહબાઝ સરકારે લગાવ્યો હાથ-પગ-ધડ વગરનો આરોપ; કહ્યું- ટ્રેન હાઇજેક પાછળ ભારતનો હાથ

  • India
  • March 12, 2025
  • 0 Comments
  • શાહબાઝ સરકારે લગાવ્યો હાથ-પગ-ધડ વગરનો આરોપ; કહ્યું- ટ્રેન હાઇજેક પાછળ ભારતનો હાથ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મંગળવારે (11 માર્ચ, 2025)ના રોજ બલુચ બળવાખોરોએ પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં 450થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેન હાઇજેક કરી લીધી છે. આ આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારત અને અફઘાનિસ્તાન પર ગંભીર આરોપો લગાવી દીધા છે. તેમના અનુસાર, ભારત-અફઘાનિસ્તાન સાથે મળીને પાકિસ્તાન સામે ષડયંત્ર રચી રહ્યુ છે.

જણાવી દઇએ કે, ટ્રેન હાઇજેક પછી બલૂચ બળવાખોરોએ કેટલાક નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા હતા, જ્યારે પાકિસ્તાની સૈન્યના કર્મચારીઓ, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી છે. બલૂચ બળવાખોરોએ 214 મુસાફરોને બંધક બનાવ્યાનો પણ દાવો કર્યો છે.

ભારત પર પાયાવિહોણા આરોપ

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે બલુચિસ્તાન ટ્રેન હાઇજેક ઘટના અંગે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે ‘આ હુમલા પાછળ ભારતનો હાથ છે.’ ન્યૂઝ એજન્સી ડોન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “ભારત આ હુમલાઓ અફઘાનિસ્તાનની અંદરથી સંચાલિત કરી રહ્યું છે.”

જ્યારે ન્યૂઝ એજન્સી ડોનના એન્કરે તેમને પૂછ્યું હતું કે, ‘શું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ બળવાખોરો વચ્ચે કોઈ સંબંધ છે?’ શું TTP બલૂચોને ટેકો આપે છે? તો આના જવાબમાં રાણા સનાઉલ્લાહે કહ્યું, ‘ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી.’ આ પછી બલૂચ બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મળે છે.

‘અફઘાનિસ્તાનમાં બેસીને કરવામાં આવે છે પ્લાનિંગ’

રાણા સનાઉલ્લાહે વધુમાં કહ્યું હતું કે, ‘અફઘાનિસ્તાનમાં બેસીને તેઓ તમામ પ્રકારના કાવતરાં ઘડે છે. પાકિસ્તાનના દુશ્મનો એક્ટિવ છે અને હવે તેના વિશે કોઈ બીજો અભિપ્રાય નથી. આ કોઈ રાજકીય મુદ્દો નથી કે કોઈ એજન્ડાનો ભાગ નથી, પરંતુ એક ષડયંત્ર છે. ભારત પર ગંભીર આરોપો લગાવતા તેમણે કહ્યું, ‘હા, ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ લિબરેશન આર્મી (BLA) બંનેને સમર્થન આપી રહ્યું છે.’

અફઘાનિસ્તાન સરકારને પણ આપી ચેતવણી  

તેણે એવો પણ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં તેના સુરક્ષિત ઠેકાણા છે, જેના કારણે તેના હુમલાઓ વધી ગયા છે. તાલિબાન સત્તામાં આવ્યા તે પહેલાં તેમને આટલી સ્વતંત્રતા નહોતી પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. રાણા સનાઉલ્લાહે ચેતવણી આપી હતી કે, ‘અમે અફઘાન સરકારને સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરે નહીં તો પાકિસ્તાન પોતે કાર્યવાહી કરશે અને તે સ્થળોને નિશાન બનાવશે.’

આ પણ વાંચો- ભૂવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને કેવી રીતે કરાઇ હતી હાઇજેક?

  • Related Posts

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
    • October 29, 2025

    Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

    Continue reading
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
    • October 29, 2025

    Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 10 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 7 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    • October 29, 2025
    • 6 views
    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    • October 29, 2025
    • 9 views
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    • October 29, 2025
    • 15 views
    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

    • October 29, 2025
    • 19 views
    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો