Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

  • World
  • March 6, 2026
  • 0 Comments

Iran War: ઈસ્લામિક સંગઠન બનાવી તેની આગેવાની લેનાર ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલે કરેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધના આજે સાતમા દિવસે ઇરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે ઈરાનમાં 3,000થી વધુ મકાનો અને 500થી વધુ દુકાનો તબાહ થઈ ગઈ છે,અમેરિકા અને ઈઝરાયેલે ઇરાનની રાજધાની તેહરાનને સૌથી વધુ ટાર્ગેટ કરી છે.

ઈરાનમાં 14 હોસ્પિટલો અને મેડિસિન સેન્ટરો પણ હુમલાનો ભોગ બન્યા છે,આજે સાતમા દિવસે ઈરાનમાં 1200થી વધુ લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે,જ્યારે લગભગ 300 ઈરાની મિસાઈલ લોન્ચર્સ પણ નષ્ટ થઈ ગયા છે. યુદ્ધના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ જતા મુશ્કેલી ઉભી થઇ છે.

ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 4.35 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. યુદ્ધ શરૂ થયાના પહેલા 24 કલાકમાં જ ભારે સૈન્ય ખર્ચ થયો અને દરરોજ અબજો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે,તે જ સમયે, તેહરાનમાં સતત બોમ્બમારાને કારણે 12 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આઝાદી સ્ટેડિયમ નાશ પામ્યું છે,બીજી તરફ આ યુદ્ધ શરૂ થયાના 100 કલાકમાં જ અમેરિકાએ લગભગ 3.7 અબજ ડોલર (33 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી નાખ્યો છે,ઈરાન ઉપર હુમલા કરવા માટે અમેરિકા રોજના લગભગ 891 મિલિયન ડોલર (8 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી રહ્યું હોવાની વિગતો સામે આવી છે.

જ્યારે ઈઝરાયેલ ઈરાન અને લેબનોન એમ બે મોરચે હુમલા કરીને તબાહી મચાવી રહ્યું છે,ઇઝરાયલી હુમલાઓને કારણે લેબનોનમાં પાંચ લાખ લોકો બેઘર બની ગયા છે,લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓમાં 123 લોકોના મોત થયા છે અને 683 લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલી વાયુસેનાનું કહેવું છે કે આ અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં બેરૂતના દહિયા વિસ્તારમાં 26 વખત હવાઈ હુમલા કરવામાં આવ્યા છે,સેનાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન દક્ષિણ લેબનોનમાં 4 લાખ 20 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. દહિયા વિસ્તારમાંથી પણ હજારો લોકો નીકળી ગયા છે.

ઇઝરાયલી સેનાના સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં 500થી વધુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે. જેમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ, રદવાન ફોર્સના સભ્યો, મિસાઈલ લોન્ચર, કમાન્ડ સેન્ટર અને હથિયારોના ગોદામોને ટારગેટ કરવામાં આવી રહયા છે,આમ ઈરાન અને લેબનોનમાં ઈઝરાયેલના સતત હુમલા ચાલુ છે ત્યારે ઈરાનમાં ઈઝરાયેલ સાથે અમેરિકા પણ સતત હુમલાઓ કરતા જાહેર જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

વળતા પ્રહારમાં ઇરાને ઈઝરાયેલ ઉપર બેલેસ્ટિક મિસાઇલ છોડી ક્લસ્ટર બૉમ્બ ફેંક્યા હતા જોકે,ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તમામ મિસાઇલ હવામાં જ તોડી પાડવામાં આવી હતી,ઇરાને પણ અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ સહિત 12 દેશો પર હુમલો કર્યો છે. આ દેશોમાં UAE, કતાર, બહેરીન, જોર્ડન, ઇરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.

અમેરિકી સેનાએ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 30થી વધુ જહાજો નાશ કરવામાં આવ્યા છે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ઈસ્લામિક દેશોનું લીડર ઇરાનની વિચારધારા તોડી નાખવા જાણે સંયુક્ત અભિયાન હાથ ધરતા અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે અને અબજોનું નુકશાન થઈ રહ્યાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.

ઈરાનનું કહેવું છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, તેમ છતાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર મોટા પાયે સૈન્ય હુમલા (ઓપરેશન એપિક ફ્યુરી/રોરિંગ લાયન) શરૂ કર્યા છે. આ હુમલાઓ પાછળના કારણો વિશ્લેષકો અલગ અલગ જણાવી રહયા છે જેમ કે દુનિયામાં ઈસ્લામિક વિચારધારા અને સંગઠન બનવું ભવિષ્યનો ખતરો કે અણુબૉમ્બનો ખતરો કે પછી ગમે તે હોય પણ હાલતો અનેક આશાસ્પદ નિર્દોષ માનવ જિંદગીઓ કચડાઈ રહી છે અને અબજો રૂપિયાનો ખર્ચ થઈ રહયો છે તે કડવી વાસ્તવિકતા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?