
Shakti Cyclone : અરબ સાગરમાં વાવાઝોડું સર્જાયું છે. ડિપ્રેશનથી શરૂ થયેલું આ વાવાઝોડું હવે ‘શક્તિ’ નામથી ઓળખાયું છે અને તે નલિયાથી 290 કિલોમીટર દૂર જન્મ્યું છે. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાથી આશરે 240 કિલોમીટરના અંતરે આ વાવાઝોડું કલાકની 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.
અરબ સાગરમાં સર્જાયું વાવાઝોડું
વૈજ્ઞાનિકોના મતે, આ વાવાઝોડું વધુ તાકાતવાન બનીને ગુજરાતના કાંઠાક્ષેત્ર તરફ વળી શકે છે, જેનાથી ચિંતાનો વાતાવરણ ગાઢ થઈ ગયો છે.દ્વારકાના કાંઠે વાવાઝોડાની પહેલી હલચલ દ્વારકાના દરિયાકાંઠે પહેલેથી જ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. તીવ્ર પવનના વાદળોમાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે અને સમુદ્રમાં ખતરનાક કરંટ વહેતા જોવા મળે છે. આ બધું દર્શાવે છે કે ‘શક્તિ’ વાવાઝોડું કિનારાના વિસ્તારોને લપેટામાં લઈ રહ્યું છે.
વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે
કચ્છ નજીક અરબ સાગરમાં આ વાવાઝોડું સર્જાયું છે ત્યારે વાવાઝોડું નલિયાથી 290 દૂર અરબ સાગરમાં રચાયું છે. આ વાવાઝોડું ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયાં બાદ હવે તે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું અરબ સાગરમાં જ આગળ વધશે અને ફરી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા છે.
420 km SW of Karachi (Pakistan) and 600 km ENE of Masirah (Oman). It is likely to move west-southwestwards and reach NW and adjoining WC Arabian Sea by 5th October. Thereafter, it will recurve and move east-northeastwards from morning of 6thOctober 2025 and weaken gradually. pic.twitter.com/pOCPXrq8cs
— India Meteorological Department (@Indiametdept) October 4, 2025
માછીમારોને દરિયામાં ન જવાની સુચના
તંત્રએ તરત જ કડક પગલાં લીધા છે, દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તારોમાં માછીમારી પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે. માછીમારોને દરિયામાં ન જવાની સખત સૂચના આપવામાં આવી છે.આગળ જતા, કાંઠાના ગામડાઓને અલર્ટ કરી દેવાયા છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકોને દરિયા તરફ ન જવાની ચેતવણી આપી છે, જેથી કોઈ જીવનને જોખમમાં ન પડે.પોરબંદર પર પણ મંડાર્યો વાવાઝોડાનો સાયો’શક્તિ’ વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં પણ પહોંચી ગઈ છે. અહીંના દરિયાઈ ગામડાઓને સાવધાન કરવામાં આવ્યા છે, ખાસ કરીને માછીમારોને સમુદ્રમાં ન જવાની અપીલ કરાઈ છે. જે માછીમારો ફિશિંગ માટે બહાર ગયા હોય, તેઓને તાત્કાલિક પરત ફરવાની સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં કરંટની હિલચાલ વધી ગઈ છે, જે વાવાઝોડાની નજીક આવવાનું સંકેત આપે છે.
લોકોને તંત્રની અપીલ
આ સમયમાં તંત્રે જનતાને અપીલ કરી છે કે, ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી જાહેરાતો અને વિશ્વસનીય સમાચારોને જ આધાર બનાવો. દરિયા કાંઠાથી દૂર રહો અને તંત્રના સૂચનાઓનું કડક પાલન કરો આ તમારી અને તમારા પ્રિયજનોની સુરક્ષા માટે જરૂરી છે.આ વાવાઝોડું અરબ સમુદ્રમાં જ મજબૂત થઈને ગુજરાત તરફ વળશે તેવી આગાહી છે, તેથી તમામને સાવધાન રહેવાનો સમય આવ્યો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા









