
- શંકર ચૌધરીનું મોટું નિવેદન; થરાદ-વાવ જિલ્લામાં બનશે વધુ એક તાલુકો!
શંકર ચૌધરીનું મોટું નિવેદન; બનાસકાંઠાના વિભાજનના બે મહિના પછી શંકર ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શંકર ચૌધરીએ પોતાના એક નિવેદનમાં નવા જિલ્લામાં વધુ એક તાલુકો બનાવવાની વાત કરી છે. શંકર ચૌધરીએ પોતાના એક કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ અને જનતાની અગવડતાના કારણે એક તાલુકો બનાવવાની વાત કરી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાને લઈને 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો હતો.
નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. જ્યારે થરાદના કીયાલ ગામ ખાતે લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ મોટું નિવેદન આપતા રાહ તાલુકો બનાવવાના સંકેત આપ્યા છે.
શંકર ચૌધરીએ શું કહ્યું?
શંકર ચૌધરીએ થરાદના કીયાલ ગામ ખાતે નિવેદન આપતા જણાવ્યું કે, ‘આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે અને તમારા નજીક (કિયાલ ગામ નજીક) તાલુકો પણ કરીશું.’
આ પણ વાંચો- મેક્સિકોમાં ભયંકર રોડ અકસ્માત; 41 લોકો જીવતા ભૂંજાઈ ગયા