SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ કરાવ્યા હોવાના શંકરાચાર્ય દ્વારા કરવામાં આવેલા દાવાથી ખળભળાટ મચ્યો છે.જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક વીડિયોમાં દાવો કર્યો છે કે જ્યારે તેઓ એરપોર્ટ પર RSS પ્રચારક ઈન્દ્રેશ કુમારને મળ્યા હતા, ત્યારે ઈન્દ્રેશ કુમારે પોતે સ્વીકાર્યું હતું કે તેમણે ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ (MRM) દ્વારા 10 લાખ હિન્દુ છોકરીઓના લગ્ન મુસ્લિમ છોકરાઓ સાથે કરાવ્યા છે.જોકે,શંકરાચાર્ય આગળ ઉમેરે છે કે આવું કેમ કર્યુ તો જવાબ મળ્યો કે હિન્દૂ છોકરી મુસલમાનના ઘરમાં જશે તો તેઓની માનસિકતા બદલી નાખશે.આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.જોકે, RSS કે ઈન્દ્રેશ કુમાર તરફથી સત્તાવાર રીતે આટલી મોટી સંખ્યામાં લગ્નો કરાવ્યા હોવાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તૃત વાત કરી છે જે જોવા માટે નીચેનો વિડીયો જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







