
Sheikh Hasina: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આજે ઢાકામાં
બે આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ શેખ હસીનાએ આ ચુકાદાને રાજકીય પ્રેરીત અને ગેર બંધારણીય ગણાવ્યો છે.
ટ્રિબ્યુનલે શેખ હસીનાને હત્યા માટે ઉશ્કેરણી અને હત્યાનો આદેશ આપવા માટે સજા ફટકારવામાં આવી છે.ટ્રિબ્યૂનલે તેમને જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે.
ટ્રિબ્યૂનલે બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝામાન ખાનને પણ 12 લોકોની હત્યાના દોષી માન્યા અને ફાંસીની સજા ફટકારી છે.બાંગ્લાદેશના એટર્ની જનરલ, અસદુઝ્ઝમાને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી સજા ધરપકડના દિવસથી અમલમાં આવશે,તેમણે ઉમેર્યું હતું કે સજા મુલતવી રાખવામાં આવશે નહીં, પરંતુ ધરપકડ પછી તરત જ તેનો અમલ કરવામાં આવશે.
બીજી તરફ આ ચુકાદા સામે હાલ ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું કે તેમની વિરુદ્ધનો ચુકાદો ખોટો, પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે, તેમણે કહ્યું કે આ ચુકાદો એક બિનચૂંટાયેલી સરકાર દ્વારા સંચાલિત ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જાહેર જનાદેશનો અભાવ હતો.
તેમણે કહ્યું કે લોકો જાણે છે કે આ સમગ્ર મામલો વાસ્તવિક ઘટનાઓની તપાસ નથી પરંતુ અવામી લીગને નિશાન બનાવવાનો પ્રયાસ છે.હસીનાએ કહ્યું કે યુનુસ સરકારના શાસનમાં પોલીસ વ્યવસ્થા નબળી પડી છે, ન્યાય વ્યવસ્થા નબળી પડી છે, અવામી લીગ સમર્થકો અને હિન્દુ-મુસ્લિમ લઘુમતીઓ પર હુમલાઓ વધ્યા છે, મહિલાઓના અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે અને કટ્ટરપંથીઓનો પ્રભાવ વધી રહ્યો છે.
હસીનાએ કહ્યું કે ડૉ. યુનુસ ચૂંટાયેલા માણસ નથી.તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આગામી ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી હોવી જોઈએ.જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગે આ ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેના વિરોધમાં આવતી કાલે તા.18 નવેમ્બરના રોજ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા





