Sheikh Hasina:મૃત્યુદંડના ચુકાદાને પક્ષપાતી અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો!

  • World
  • November 17, 2025
  • 0 Comments

Sheikh Hasina: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આજે ઢાકામાં
બે આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ શેખ હસીનાએ આ ચુકાદાને રાજકીય પ્રેરીત અને ગેર બંધારણીય ગણાવ્યો છે.

ટ્રિબ્યુનલે શેખ હસીનાને હત્યા માટે ઉશ્કેરણી અને હત્યાનો આદેશ આપવા માટે સજા ફટકારવામાં આવી છે.ટ્રિબ્યૂનલે તેમને જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે.

ટ્રિબ્યૂનલે બીજા આરોપી પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝામાન ખાનને પણ 12 લોકોની હત્યાના દોષી માન્યા અને ફાંસીની સજા ફટકારી છે.બાંગ્લાદેશના એટર્ની જનરલ, અસદુઝ્ઝમાને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલી સજા ધરપકડના દિવસથી અમલમાં આવશે,તેમણે ઉમેર્યું હતું કે સજા મુલતવી રાખવામાં આવશે નહીં, પરંતુ ધરપકડ પછી તરત જ તેનો અમલ કરવામાં આવશે.

બીજી તરફ આ ચુકાદા સામે હાલ ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું કે તેમની વિરુદ્ધનો ચુકાદો ખોટો, પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે, તેમણે કહ્યું કે આ ચુકાદો એક બિનચૂંટાયેલી સરકાર દ્વારા સંચાલિત ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જાહેર જનાદેશનો અભાવ હતો.

તેમણે કહ્યું કે લોકો જાણે છે કે આ સમગ્ર મામલો વાસ્તવિક ઘટનાઓની તપાસ નથી પરંતુ અવામી લીગને નિશાન બનાવવાનો પ્રયાસ છે.હસીનાએ કહ્યું કે યુનુસ સરકારના શાસનમાં પોલીસ વ્યવસ્થા નબળી પડી છે, ન્યાય વ્યવસ્થા નબળી પડી છે, અવામી લીગ સમર્થકો અને હિન્દુ-મુસ્લિમ લઘુમતીઓ પર હુમલાઓ વધ્યા છે, મહિલાઓના અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે અને કટ્ટરપંથીઓનો પ્રભાવ વધી રહ્યો છે.

હસીનાએ કહ્યું કે ડૉ. યુનુસ ચૂંટાયેલા માણસ નથી.તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આગામી ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી હોવી જોઈએ.જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગે આ ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેના વિરોધમાં આવતી કાલે તા.18 નવેમ્બરના રોજ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?
  • June 17, 2026

China Industrial Subsidy: દાયકાઓ સુધી ભારતને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા એ પાઠ ભણાવવામાં આવ્યો છે કે સરકારી તિજોરી પર બોજ ઘટાડો, સબસિડીનું તર્કસંગતકરણ કરો અને મુક્ત બજારની તાકાત પર ભરોસો…

Continue reading
Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ