
SIR: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આવી રહેલી આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણીની સત્તાવાર જાહેરાત એપ્રિલ 2026 ના પ્રથમ સપ્તાહમાં થવાની શક્યતા છે, બીજી તરફ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન મોટા પાયે મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહયા છે, ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે દાવો કરતા જણાવ્યું કે અમદાવાદમાં 8.25 લાખ જેટલા મતો કાપી નાખવામાં આવ્યા છે તેથી અમદાવાદ મનપામાં ભાજપની પાક્કી જીત થવાની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પણ આક્ષેપ કર્યો છે કે ફોર્મ-7નો દુરુપયોગ કરીને ચોક્કસ વિસ્તારોમાં મતદારોના નામ જાણીજોઈને કાપવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 4.18 કરોડ મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાઓ અને 72 નગરપાલિકાઓની મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. મતદારોને 27 માર્ચ સુધી પોતાની વિગતોમાં સુધારો કરવા પણ જણાવાયું છે ત્યારે નામ કમી કરવાનો મુદ્દો પણ ભારે ચર્ચામાં રહ્યો છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






