Srinagar: ફ્લાઈટમાં વધુ સામાન લઈને ઘૂસવા ન દેતાં સૈન્ય અધિકારીએ 4 કર્મીઓને ફટકાર્યા, હવે ઉડાન ભરવાનું સ્વપ્ન ચકનાચૂર થશે,જાણો કારણ

  • India
  • August 3, 2025
  • 0 Comments

Srinagar: શ્રીનગર એરપોર્ટ પર એક સૈન્ય અધિકારીએ સ્પાઇસજેટના ચાર કર્મચારીઓને ખરાબ રીતે માર મારતા હોબાળો મચી ગયો હતો. એરપોર્ટ પર હાજર લોકોએ આ લડાઈનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. એક સૈન્ય અધિકારી ફ્લાઇટમાં જવાનો હતો. આ માટે તે એરપોર્ટ પર પહોચ્યો.

સુરક્ષા તપાસ પછી સામાન લઈ જતી વખતે સ્પાઇસજેટના કર્મચારીઓએ તેની પાસે વધારાના સામાન માટે વધારાના પૈસા માંગ્યા. જેથી સૈન્ય અધિકારી અને કર્મચારીઓ વચ્ચે ઝઘડો થાય છે. જોત જોતામાં આ ઝઘડો લડાઈમાં ફેરવાઈ જાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સૈન્ય અધિકારી પહેલા કર્મચારીને મુક્કો મારે છે અને પછી તેના હાથમાં એક બોર્ડ આવે છે જેનાથી તે કર્મચારીઓ પર હુમલો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ચારેય કર્મચારીઓ ખરાબ રીતે ઘાયલ થયા છે.

એરલાઈને શું કહ્યું?

સ્પાઇસજેટ એરલાઈને જણાવ્યું હતું કે જ્યારે મુસાફરને વધારાના સામાન માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે હુમલો થયો હતો. સ્પાઈસજેટે જણાવ્યું હતું કે એક સૈન્ય અધિકારી કુલ 16 કિલો વજનની બે કેબિન બેગ લઈને ગયો હતો, જે સાત કિલોની માન્ય મર્યાદા કરતાં બમણાથી વધુ હતી. જ્યારે સૈન્ય અધિકારીને નમ્રતાપૂર્વક વધારાના સામાન વિશે જાણ કરવામાં આવી અને લાગુ ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશ કર્યો, જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. નિવેદનમાં જણાવાયું છે કે CISF અધિકારી દ્વારા તેને ગેટ પર પાછો લઈ જવામાં આવ્યો હતો.

‘નો-ફ્લાય’ યાદીમાં મૂકવું

એરલાઇને જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસમાં FIR નોંધાવવામાં આવી છે અને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર મુસાફરને ‘નો-ફ્લાય’ યાદીમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Bomb Threat: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આ રીતે આરોપીને પકડ્યો!

UP: ગોંડામાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પડતાં 11ના જીવ ગયા

RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં

Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?

Ahmedabad: બાપુનગરમાં 7 વર્ષની બાળકીના રેપ-હત્યા કેસમાં 16 વર્ષ બાદ 2 શંકાસ્પદ શખ્સોની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ

 

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 4 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત