Surat Corruption: ગુજરાતમાં હવે પાણીની ટાંકીઓમાં કરોડોનો ભ્રષ્ટાચાર! સુરતમાં નવી ટાંકી તૂટી પણ 200 ટાંકીઓ તૂટવાના આરે! જુઓ વિશેષ અહેવાલ

Surat Corruption: રાજ્યમાં રોડ-રસ્તા અને જાહેર બંધકામોમાં વ્યાપક ગેરરીતિઓની ઉઠેલી ફરિયાદો વચ્ચે સુરતના તડકેશ્વર ગામમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ ધડાકાભેર તૂટી પડતા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે.સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ માટે જાણીતા તડકેશ્વર ગામને તાપીનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી ₹ 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યારે ટાંકી હજુતો માંડ અડધી ભરાઈ હશે ત્યાંજ કડાકાભેર તૂટી પડતા કામમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.15 મીટર ઊંચી ટાંકીમાં 11 લાખ લિટર પાણી ભરવાની ક્ષમતા હતી.

આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયપગલા જગ્યામાં તાપી પાણીપુરવઠા યોજના હેઠળ 33 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવનાર હતું અને તેની રાહ જોઈ રહેલા લોકો આ ઘટનાથી નિરાશ થઈ ગયા છે.બે એન્જિનિયર સસ્પેન્ડ આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે.

હવે જો નવી નક્કોર ટાંકી તૂટી પડતી હોય તો ગુજરાતમાં 200 પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં છે ત્યાં કોઈ દુર્ઘટના બની શકે તેમ છે.
સરકારી કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બહાર આવી રહયા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

  • N R Zala

    પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

    Related Posts

    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું
    • February 2, 2026

    Gandhiji: મહાત્મા ગાંધીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેઓનું જીવન સાદગીથી ભરેલું હતું અને દેશ આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવ્યું હતું પણ આજે…

    Continue reading
    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
    • February 1, 2026

    BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

    • February 2, 2026
    • 3 views
    Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    • February 1, 2026
    • 4 views
    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    • February 1, 2026
    • 12 views
    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    • February 1, 2026
    • 11 views
    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    • February 1, 2026
    • 9 views
    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

    • February 1, 2026
    • 9 views
    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’