Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments

 Surat Fire 2025:  સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીથી લાગેલી આગ 27 ફેબ્રુાઆરી બપોર સુધી કાબૂમાં લેવામાં આવી હતી. બે દિવસથી વધુ સમય સુધી લાગતી રહેલી આગમાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગ પર કાબુ લેવા માટે 40થી વધુ ફાયર ફાઇટર્સે 40 લાખ લિટર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ત્યારે બનેલી આ આગની ઘટનામાં 800થી વધુ દુકાન બળીને રાખ થઈ ગઈ છે. જેને લઈને વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. સારા  સપનાઓ સાથે જોડાયેલી 800થી વધુ દુકાનો ખાખ થતા આવા ઘણા સપનાઓ પણ ખાખ થઈ ગયા હતા.

25મીએ એકનો આગે જીવ લીધો હતો

ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીએ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જો કે ત્યાર બાદ સવારે 26 ફેબ્રુઆરીએ અહીં ફરીવાર આગ લાગી અને આખ માર્કેટને ઝપેટમાં લી લીધું. બીજીવાર લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. જોકે સાચી હકકીત યોગ્ય તપાસ બાદ આવશે.

જોકે આ આગની ઘટનાથી વેપારીઓને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે. કાપડ, સાડીઓ સહિતના વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. વેપારીઓએ રોકણ કરી ખરીદેલો માલસામન, રોકડ સહિત દુકાનો, ફર્નિચર બળીને રાખ થયા છે. જેથી હવે વેપારીઓને સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. સાથે બેજવાબદાર તંત્ર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. કારણ કે સરકાર ફાયર સેફ્ટીમાં કરોડો રુપિયા ખર્ચે છે તો પછી આગ કાબૂમાં લેવામાં આટલીવાર કેમ લાગી? શું સેફ્ટીના સાધનો ઓછા પડ્યા, ઓછા હોય તો જવબાદાર તંત્ર શું કરે છે?

રોકડા 20 લાખ રુપિયા બળી ગયા

આ માર્કેટમાં એક વ્યક્તિના રોકડા 20 લાખ બળીને રાખ થઈ ગયા છે. તેણે કહ્યું કે આ રુપિયા મારા ન હતા. જુદી જુદી પાર્ટીઓના હતા. વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે, સાહેબ કંઈપણ કરો મને અંદર જવા દો મારી દુકાનમાં રોકડા રૂ. 20 કરોડ છે. જો કે આગને લીધે તેને અંદર જવા દીધો ન હતો.

 

આ પણ વાંચોઃ Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે

આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?

આ પણ વાંચોઃ Gujarat bicycle scam: રાજસ્થાનમાં 3857માં મળતી સાયકલ ગુજરાતમાં રુ. 4444માં, હજુ વિદ્યાર્થિનીઓને નથી મળી સાયકલ

આ પણ વાંચોઃ Chhaava Film: મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ છવાઈ, પુષ્પા 2 નો તોડ્યો રેકોર્ડ, લક્ષ્ય 500 કરોડ

 

 

 

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 15 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 20 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 34 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના