SURENDRANAGAR: સાયલા પાસે રોડ પર જ યુવકને જબરજસ્ત માર માર્યો, 7 શખ્સો સામે ફરિયાદ

  • Gujarat
  • January 16, 2025
  • 0 Comments

ગુજરાતમાં સતત અપરાધની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના ડોડિયા ગામના બ્રિજ પાસે ભયંકર મારામારીનો વિડિયો સામે આવ્યો છે. જૂની અદાવતની રીસ રાખી અમદાવાદના એક કારચાલકને સાયલા હાઈવે પર રોકી કારમાં તોડફોડ કરી  3 ઈસમોએ લાકડીથી યુવક પર હુમલો કર્યો છે. યુવક પાસેથી રૂ. 5 લાખની સોનાની ચેન અને રોકડની પણ લૂંટ કરી હતી. આ ઘટના બનતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામનાં પણ દૃશ્યો સર્જાયાં હતાં. આ મામલે કુલ 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘરે પરત આવતાં હુમલો થયો

 અમદાવાદના થલતેજમાં રહેતા રઘુભાઈ માંગુડા તેમના મિત્રો સાથે દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે ચોટીલા પાસે ડોળિયા ગામના બ્રિજ નજીક પહોંચ્યા તે વખતે ઉમરડા ગામના વેરશી તરગટા, ગોપાલ તરગટા તેમજ રણછોડ તરગટા અને અજાણ્યા ચારેક લોકોએ એકાએક આવીને રઘુભાઈની ગાડી ઉપર લાકડીઓના ઘા મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

સોનાના દાગીના પણ લૂંટી લીધા

એક શખ્સે આવીને રઘુભાઈને જમીન પર પછાડ્યા હતા. જે બાદ ગોપાલ, વેરશી અને રણછોડે આવીને લાકડી લઈ રઘુભાઈ પર તૂટી પડ્યા હતા. જાહેર રોડ પર ઢોરમાર મારી રઘુભાઈના હાથ-પગ તોડી નાખ્યા હતા. તેમજ ગળામાં પહેરેલ સાડા સાત તોલાની સોનાની ચેઈન, સોનાનું પેંડલ તેમજ ખિસ્સામાં રહેલ રોકડ બળજબરીથી કાઢી લઈ તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા. જતાં જતાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

12 વર્ષ અગાઉનું વેર આજે વાર્યું

આ બનાવનું કારણ એવું છે કે આજથી બારેક વર્ષ પહેલાં વેરશી તરગટા માલઢોર લઈ આવ્યા હતા. તે સમયે રઘુભાઈને દૂધની ડેરી હોઇ દૂધ ભરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી અને કાવતરું રચીને માર માર્યો હતો. તેમજ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.

ડેરીમાં દૂધ ભરવા બાબતે  થઈ હતી બબાલ

ફરિયાદી રઘુભાઈ કાનાભાઈ માંગુડાને દૂધની ડેરી છે.  રઘુભાઇને દૂધ ભરવા બાબતે આરોપી વેરશીભાઇ શામળાજી તરગટા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી વેરશીભાઇ શામળાજી તરગટા દ્વારકા દર્શન કરી પરત અમદાવાદ જતા હતા, તે વખતે વેરશીભાઇ શામળાજી તરગટા, ગોપાલભાઈ વેરશીભાઈ તરગટા અને રણછોડભાઈ શામળાજી તરગટા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો મળી કુલ સાત લોકોએ એમની ગાડીની વોચ રાખી ગુનાને અંજામ આપ્યો છે. હાલ ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.

5 લાખથી વધુનો મુદ્દામાલ છીનવ્યો

હુમલાખોરોએ સાડા સાત તોલા વજનની સોનાની ચેઇન   કિંમત રૂ. 5,00,000 તથા રોકડા રૂ. 14,000 મળી કુલ રૂ. 5,14,000ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાયલા પોલીસ મથકે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 3 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 5 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 12 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ