SURENDRANAGAR: સાયલા પાસે રોડ પર જ યુવકને જબરજસ્ત માર માર્યો, 7 શખ્સો સામે ફરિયાદ

  • Gujarat
  • January 16, 2025
  • 0 Comments

ગુજરાતમાં સતત અપરાધની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલાના ડોડિયા ગામના બ્રિજ પાસે ભયંકર મારામારીનો વિડિયો સામે આવ્યો છે. જૂની અદાવતની રીસ રાખી અમદાવાદના એક કારચાલકને સાયલા હાઈવે પર રોકી કારમાં તોડફોડ કરી  3 ઈસમોએ લાકડીથી યુવક પર હુમલો કર્યો છે. યુવક પાસેથી રૂ. 5 લાખની સોનાની ચેન અને રોકડની પણ લૂંટ કરી હતી. આ ઘટના બનતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામનાં પણ દૃશ્યો સર્જાયાં હતાં. આ મામલે કુલ 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘરે પરત આવતાં હુમલો થયો

 અમદાવાદના થલતેજમાં રહેતા રઘુભાઈ માંગુડા તેમના મિત્રો સાથે દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે ચોટીલા પાસે ડોળિયા ગામના બ્રિજ નજીક પહોંચ્યા તે વખતે ઉમરડા ગામના વેરશી તરગટા, ગોપાલ તરગટા તેમજ રણછોડ તરગટા અને અજાણ્યા ચારેક લોકોએ એકાએક આવીને રઘુભાઈની ગાડી ઉપર લાકડીઓના ઘા મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

સોનાના દાગીના પણ લૂંટી લીધા

એક શખ્સે આવીને રઘુભાઈને જમીન પર પછાડ્યા હતા. જે બાદ ગોપાલ, વેરશી અને રણછોડે આવીને લાકડી લઈ રઘુભાઈ પર તૂટી પડ્યા હતા. જાહેર રોડ પર ઢોરમાર મારી રઘુભાઈના હાથ-પગ તોડી નાખ્યા હતા. તેમજ ગળામાં પહેરેલ સાડા સાત તોલાની સોનાની ચેઈન, સોનાનું પેંડલ તેમજ ખિસ્સામાં રહેલ રોકડ બળજબરીથી કાઢી લઈ તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા. જતાં જતાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

12 વર્ષ અગાઉનું વેર આજે વાર્યું

આ બનાવનું કારણ એવું છે કે આજથી બારેક વર્ષ પહેલાં વેરશી તરગટા માલઢોર લઈ આવ્યા હતા. તે સમયે રઘુભાઈને દૂધની ડેરી હોઇ દૂધ ભરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી અને કાવતરું રચીને માર માર્યો હતો. તેમજ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.

ડેરીમાં દૂધ ભરવા બાબતે  થઈ હતી બબાલ

ફરિયાદી રઘુભાઈ કાનાભાઈ માંગુડાને દૂધની ડેરી છે.  રઘુભાઇને દૂધ ભરવા બાબતે આરોપી વેરશીભાઇ શામળાજી તરગટા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી વેરશીભાઇ શામળાજી તરગટા દ્વારકા દર્શન કરી પરત અમદાવાદ જતા હતા, તે વખતે વેરશીભાઇ શામળાજી તરગટા, ગોપાલભાઈ વેરશીભાઈ તરગટા અને રણછોડભાઈ શામળાજી તરગટા અને અન્ય ચાર અજાણ્યા શખ્સો મળી કુલ સાત લોકોએ એમની ગાડીની વોચ રાખી ગુનાને અંજામ આપ્યો છે. હાલ ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.

5 લાખથી વધુનો મુદ્દામાલ છીનવ્યો

હુમલાખોરોએ સાડા સાત તોલા વજનની સોનાની ચેઇન   કિંમત રૂ. 5,00,000 તથા રોકડા રૂ. 14,000 મળી કુલ રૂ. 5,14,000ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાયલા પોલીસ મથકે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ