
Another teacher dies in SIR campaign: રાજ્યમાં SIRની કામગીરી વિવાદમાં રહી છે અને અત્યાર સુધીમાં ચાર શિક્ષકોના મોત બાદ વધુ એક શિક્ષકનું મોત થતાં મૃત્યુઆંક પાંચ ઉપર પહોંચ્યો છે.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. મળતી માહિતી અનુસાર,અહીં SIR કામગીરી દરમિયાન નેટ કનેક્ટિવિટીનો ઈશ્યુ આવતા તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા,જેથી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા ગામમાં કોઈ ડોકટર નહિ હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે વડનગર લઈ જવાયા હતા,પણ તેઓને સારવાર મળે તે પહેલાજ રસ્તામાં તેમનું કરુણ મોત થઈ જતા સુદાસણા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી
ઉલ્લેખનીય છે કે SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે BLOની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં 10 દિવસમાં મોત થઈ ચુક્યા છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી જ્યારે બીજા કિસ્સામાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું તેજ રીતે ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું પણ હાર્ટ એટેકથી મોત થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભારના શિક્ષકોને SIR (special intensive revision) એટલે કે, ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરી સોંપવામાં આવી છે જેની સામે અગાઉ શિક્ષકો તેમજ સંગઠનો દ્વારા વિરોધ પણ થયો છે ત્યારે હવે પાંચ શિક્ષકોના મોત થતાં SIR કામગીરી મુદ્દે હવે વિવાદ વધ્યો છે.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!










