Imran Khan Killed in Jail: શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

  • World
  • November 26, 2025
  • 0 Comments

Imran Khan Killed in Jail:પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની જેલમાં હત્યા કરાવી નાખવામાં આવી હોવાના બલુચિસ્તાન વિદેશ મંત્રાલયે કરેલા દાવાથી ખળભળાટ મચી ગયો છે.

બલુચિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હત્યા થઈ હોવાનો મોટો દાવો કર્યો છે.

બલુચિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.

જોકે,હત્યા મામલે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી બીજી તરફ ઇમરાન ખાનની બહેનો અને તેના પરિવારજનોને જેલમાં ઈમરાન ખાનને મળવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેના કારણે હત્યાની આશંકા વધુ પ્રબળ બની છે.

પાકિસ્તાનની અદિયાલાજેલની અંદર ઇમરાન ખાનની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન લાંબા સમયથી જેલમાં કેદ હતા.પોસ્ટમાં મીડિયા આઉટલેટનો હવાલો આપીને લખ્યુ છે કે, તેમની હત્યા ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ કરવમાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સાથેજ અફઘાનિસ્તાન ટાઇમ્સે પણ પાકિસ્તાનના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, PTI ચેરમેન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી છે અને મૃતદેહને પણ જેલમાંથી હટાવી દેવામાં આવ્યો છે.આ વાતથી ઇમરાન ખાનનો પરિવાર પણ પરેશાન છે,અને જેલ બહાર પ્રદર્શનો કરી રહયો છે.ઈમરાન ખાનની ત્રણેય બહેનો 21 દિવસથી અદિયાલા જેલ બહાર ઇમરાનને મળવા માટે બેચેન છે. પરંતુ તેમને જેલમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે.

ઇમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઇન્સ્પેક્ટર જનરલને ફરિયાદ કરી છે. આ પછી ઇમરાન ખાનના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા હતા. દરમિયાન તેમની બહેનો પણ અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.

મહત્વનું છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમના પર તેમની પત્ની બુશરા બીબી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ છે.

ઈમરાન ખાન પર ટ્રસ્ટના નામે રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ મલિક રિયાઝ હુસૈન પાસેથી 60 એકર જમીન દાન તરીકે સ્વીકારવાનો આરોપ હતો, જેના પરિણામે રાજ્યને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

જાન્યુઆરી 2025માં કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી હતી, જ્યારે તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા ફટકારી હતી.ઈમરાન ખાનની હત્યા થઈ હોવાની વાતો વચ્ચે કોર્ટની પરવાનગી હોવા છતાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને તેની ત્રણ બહેનો અને વકીલોને મળવા નથી દેતા.

તેમની બહેનો તેમને છેલ્લે મળી હતી તેના ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. બહેનોનો આરોપ છે કે ઈમરાન ખાનનું ઠેકાણું અને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ ઓફિશિયલ જાણકારી નથી. ઈમરાનની બહેન નૌરીને અદિયાલા જેલની બહાર પ્રદર્શનકારીઓ પર ‘ક્રૂર હુમલા’ અંગે પંજાબ પ્રાંતના IGને ઔપચારિક ફરિયાદ આપી છે.આમ,ઈમરાન ખાનની હત્યા થયાના દાવા થઈ રહયા છે.

પીટીઆઈના સમર્થકોનું કહેવું છે કે, જો ઈમરાન ખાન સ્વસ્થ છે તો તેમની બહેનોને કેમ તેમની સાથે મળવા નથી દેતા. જ્યારે ઈમરાન ખાન સાથે મુલાકાતનો આદેશ કોર્ટે આપ્યો છે. એક અહેવાલ પ્રમાણે કોર્ટમાંથી નીકળતી વખતે ઈમરાન ખાનની બહેન અલીમા ખાનને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

બીજી તરફ આજે 26 નવેમ્બર 2025ના રોજ સમગ્ર પાકિસ્તાનમાં પીટીઆઈના કાર્યકરોએ ‘બ્લેક ડે’ મનાવ્યો હતો. આ દિવસ 26 નવેમ્બર, 2024ના રોજ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોની પ્રથમ વર્ષગાંઠ તરીકે મનાવ્યો છે.

આ દિવસે ઈમરાન ખાનની મુક્તિ અને રાજકીય ન્યાયની માગમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા.
PTIએ દેશભરમાં જિલ્લા સ્તરીય પ્રદર્શનો, રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું.

દરમિયાન, ઈમરાન ખાનનું જેલમાં શુ થયું તે અંગે કોઈ વાત બહાર નહી આવતા સસ્પેન્સ ઊભું થયુ છે અને હત્યા થઈ હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને