Telangana: સુરંગનો એક ભાગ તૂટી પડ્યો, 7 કામદારો ફસાયા, શા માટે બનાઈ રહી છે સુરંગ?

  • India
  • February 22, 2025
  • 0 Comments

Telangana tunnel collapse:  તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં SLBC ટનલમાં એક મોટી દુર્ઘટના બની છે. ટનલની છતનો ત્રણ મીટર ભાગ તૂટી પડ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સવારે અમરાબાદ મંડળના ડોમલપેંટા નજીક બની હતી. SLBC ટનલ પ્રોજેક્ટનું કામ ઝડપી પૂર્ણ કરવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે આ ઘટના બનતાં શ્રમિજીઓના જીવ તાળવે ચોંટ્યા છે.

જાણકારી અનુસાર સવારે લગભગ 8:30 વાગ્યે માટીનો કાટમાળ પડવા લાગ્યો હતો. જેના કારણે પહેલી શિફ્ટમાં કામ કરતા 50 કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 43 કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. જો હજુ 7 કામદારો ટનલમાં જ ફસાયેલા છે. જેમને રેસ્કયૂ ટીમ દ્વારા બહાર લાવવાા પ્રયત્નો હાથ ધરાયા છે. આ ઘટનામાં ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સુરંગના એન્ટર પોઈન્ટથી લઈ 14 કીમી અંદર બની છે.

SLBC ટનલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શ્રીશૈલમ પ્રોજેક્ટના બેકવોટરમાંથી પાણી વાળીને દુષ્કાળગ્રસ્ત નાલગોંડા જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ SLBC સુરંગમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને બચાવ કામગીરીને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યો. એક નિવેદનમાં, તેલંગાણાના સીએમઓએ જણાવ્યું હતું કે ટનલની છત તૂટી પડવાની માહિતી મળતાં જ મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ચેતવણી આપી હતી. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર, એસપી, ફાયર સર્વિસ વિભાગ, હાઈડ્રાને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત પગલાં લેવા આદેશ આપ્યો છે..

દરમિયાન, મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડી તાત્કાલિક ખાસ હેલિકોપ્ટરમાં ઘટનાસ્થળે પહોંચ્યા છે. અને સિંચાઈ વિભાગના સલાહકાર આદિત્યનાથ દાસ સાથે બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓ પાસેથી ટનલની છત તૂટી પડવાના કારણ અંગે જવાબદાર અધિકારીઓ પાસે જવાબ માગ્યા છે. તેમણે અધિકારીઓને ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?

સુરંગની અંદર ફસાયેલા કામદારો

ગુરજીત સિંહ (પંજાબ)
સનિત સિંહ (જમ્મુ અને કાશ્મીર)
શ્રીનિવાસુલુ (ઉત્તર પ્રદેશ)
મનોજ રૂબેના (ઉત્તર પ્રદેશ)
સંદીપ (ઝારખંડ)
સંતોષ (ઝારખંડ)
જટકા હીરન (ઝારખંડ)

https://youtu.be/FEo-pHb4IlE?si=XFG7B6Fsv5Y0HOVH

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત