Kashmir Bandh: આતંકવાદના વિરોધમાં કાશ્મીર બંધ, મસ્જિદોએ હુમલાની નિંદા કરી, ‘અમારા માથા શરમથી ઝૂકી ગયા’

  • India
  • April 23, 2025
  • 3 Comments

Terrorism Protest Kashmir Bandh: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સમગ્ર કાશ્મીરમાં ભારે રોષ ફેલાયો છે. કાશ્મીરીઓમાં આક્રોશ છે. કાશ્મીર ખીણમાં થયેલા હુમલાના વિરોધમાં આજે 23 એપ્રિલે લોકોએ સ્વેચ્છાએ બજારો બંધ રાખી આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો છે. કાશ્મીરની મસ્જિદો તરફથી આ હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી. સ્થાનિકોએ કહ્યું, ‘આ કાયરતાપૂર્ણ કૃત્ય, આપણા આતિથ્ય પર ડાઘ છે, માથા શરમથી ઝૂકી ગયા છે.’ જમ્મુમાં મંગળવારે સાંજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મીણબત્તી કૂચ કાઢવામાં આવી હતી. સાથે સાથે આતંકવાદ સામે વિરોધ કર્યો હતો.

આ હુમલામાં 30 જેટલા લોકોના મોતથી રાજ્યભરમાં શોક અને રોષ ફેલાયો છે. પરિણામે સમગ્ર કાશ્મીર બંધ રાખવામાં આવ્યું છે. ખીણમાં જનજીવન ઠપ થયું છે. શ્રીનગર, બારામુલ્લા, અનંતનાગ, કુપવાડા, સોપોર અને અન્ય શહેરોમાં દુકાનો, શાળાઓ, કોલેજો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. શેરીઓ શાંત છે અને જાહેર પરિવહન સેવાઓ બંધ રહી છે. જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને વિવિધ વ્યાપારી અને સામાજિક સંગઠનોએ બંધને ટેકો આપ્યો છે.

કાશ્મીરની મસ્જિદોમાં ખાસ કરીને જામિયા મસ્જિદ ભાલેસા અને શ્રીનગરની મુખ્ય મસ્જિદોએ માઇક પર કડક શબ્દોમાં નિંદા કી છે. મૌલવીઓએ તેને ‘ઇસ્લામ અને માનવતા વિરુદ્ધ કાયર કૃત્ય’ ગણાવ્યું. શ્રીનગરના એક મૌલવીએ કહ્યું, ‘કાશ્મીર મહેમાનોનું સન્માન કરે છે. આ હુમલો આપણી સંસ્કૃતિ અને શાંતિની વિરુદ્ધ છે. સ્થાનિક લોકોએ પણ આ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ કાશ્મીરની છબી ખરાબ કરવાનું કાવતરું છે. શ્રીનગરના રહેવાસી ગુલામ હસને કહ્યું, ‘અમારા મહેમાનો પર હુમલો થયો, અમારા માથા શરમથી ઝૂકી ગયા છે.’ આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી.

જમ્મુમાં થયેલા હુમલા સામે લોકોનો ગુસ્સો રસ્તાઓ પર ફાટી નીકળ્યો. ગાંધી નગર, રઘુનાથ બજાર અને તાલાબ ટિલ્લો જેવા વિસ્તારોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. કેટલીક જગ્યાએ, જ્યારે વિરોધ પ્રદર્શન હિંસક બન્યા, ત્યારે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો.

મંગળવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. પહેલગામ, શ્રીનગર અને જમ્મુના રઘુનાથ મંદિર પાસે હજારો લોકો એકઠા થયા અને મૃતક પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

મીણબત્તી માર્ચમાં ભાગ લેનાર વિદ્યાર્થીની નાઝિયા અહેમદે કહ્યું, ‘આ હુમલો ફક્ત પ્રવાસીઓ પર જ નહીં પરંતુ કાશ્મીરના આત્મા પર છે.’ અમને શાંતિ જોઈએ છે, રક્તપાત નહીં. શ્રીનગરના એક ઉદ્યોગપતિ મોહમ્મદ યુસુફે કહ્યું, ‘આ હુમલો ફક્ત પ્રવાસીઓ પર જ નહીં પરંતુ કાશ્મીરની અર્થવ્યવસ્થા અને છબી પર છે.’ આપણે શાંતિ ઇચ્છીએ છીએ, આતંકવાદ નહીં.

ઉરી સેક્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

આ દરમિયાન, ભારતીય સેનાએ ફરી એકવાર ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં પોતાની સતર્કતા દર્શાવી છે. મંગળવારે મોડી રાત્રે ગોહાલન વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. સૈન્યની ત્રીજી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીએ તરત જ આ વિસ્તારને ઘેરી લીધો હતો. ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના જવાબમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે, તેમના મૃતદેહ મળી શક્યા નહીં કારણ કે આ વિસ્તાર નિયંત્રણ રેખાની ખૂબ નજીક છે અને ગાઢ જંગલને કારણે દૃશ્યતા ઓછી હતી. સેનાએ આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અને ડ્રોન અને થર્મલ ઇમેજિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું, ‘અમારી ટીમો સંપૂર્ણપણે સતર્ક છે.’ નિયંત્રણ રેખા પર કોઈપણ ઘૂસણખોરીના પ્રયાસને સફળ થવા દેવામાં આવશે નહીં. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ હુમલા પછી આતંકવાદી સંગઠનો અને તેમની પ્રવૃત્તિઓ વધી શકે છે, જેના માટે સેના અને ગુપ્તચર એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.

પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ અને તપાસ

લશ્કર-એ-તૈયબા અને તેના સહયોગી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગુપ્તચર એજન્સીઓના મતે, હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કરનો ટોચનો કમાન્ડર સૈફુલ્લાહ છે, જે પાકિસ્તાનમાં બેસીને આ કાવતરું અંજામ આપી રહ્યો છે. આ હુમલામાં ચારથી છ આતંકવાદીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી બેની ઓળખ કરવામાં આવી રહી છે. આતંકવાદીઓ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં છુપાયેલા હોઈ શકે છે, જેના માટે સેનાએ હેલિકોપ્ટર, ડ્રોન અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પોલીસ અને NIAએ હુમલાની તપાસ શરૂ કરી

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રો અને વિસ્ફોટકો પાકિસ્તાનથી દાણચોરી કરીને લાવવામાં આવ્યા હતા. એવી પણ શંકા છે કે આતંકવાદીઓને સ્થાનિક સ્તરે કોઈ સપોર્ટ મળ્યો હશે, જેની તપાસ ચાલી રહી છે.

પહેલગામ હુમલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને તાત્કાલિક પગલાં લેવાની ફરજ પાડી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકી કરીને ભારત પાછા આવ્યા. આજે ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી હતી. ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે સાંજે શ્રીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. શાહે કહ્યું, ‘આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.’ અમે કાશ્મીરમાં શાંતિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, ‘આ કાશ્મીરની આત્મા પર હુમલો છે. અમે અમારા મહેમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલા બધા પગલાં લઈશું. વહીવટીતંત્રે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

 

Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’

આ પણ વાંચોઃ

Gujarat ના મંદિરોની સુરક્ષામાં વધારો, સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે હાઇ એલર્ટ

Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!

Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?

Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન

 

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

One thought on “Kashmir Bandh: આતંકવાદના વિરોધમાં કાશ્મીર બંધ, મસ્જિદોએ હુમલાની નિંદા કરી, ‘અમારા માથા શરમથી ઝૂકી ગયા’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ