કાતિલ ઠંડીના કારણે મહાકુંભમાં સ્નાન કર્યા પછી ત્રણ લોકોના મોત; ત્રણ હજાર લોકો પડ્યા બીમાર

  • India
  • January 15, 2025
  • 0 Comments

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025, સોમવારથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ પર પણ તીવ્ર ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. શાહી સ્નાન પછી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 3 હજારથી વધુ લોકો બીમાર પડ્યા હોવાના સમાચાર છે.

તબિયત બગડવાના કારણે શરદ પવારની પાર્ટીના નેતાને સબ સેન્ટ્રલ હોસ્પિટલ ઝુંસી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સાથે કોટા રાજસ્થાનના અન્ય એક વ્યક્તિ સુદર્શન સિંહ પવારનું પણ મૃત્યુ થયુ છે. સુદર્શન સિંહ પણ તેમના મિત્રો સાથે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા.

સ્નાન કર્યા પછી જ્યારે તેમની તબિયત બગડી હતી. ત્યારે તેના મિત્રો તેને ઝુંસીની સબ સેન્ટ્રલ હોસ્પિટલ લઈ ગયા. મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાની શંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. આ સિવાય 85 વર્ષીય અર્જુન ગિરીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું.

આ અંગે સેન્ટ્રલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડૉ. મનોજ કૌશિકે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરી, 2025 ના રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે ઓપીડી પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને 37 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોને મેળા વિસ્તારની ઝુનસી અને અરૈલ હોસ્પિટલોમાંથી SRN રિફર કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 650 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યા સુધી સેન્ટ્રલ હોસ્પિટલમાં 20 દર્દીઓ દાખલ હતા. તેમાંથી કેટલાક ભક્તો હતા અને કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ હતા. મેળા વિસ્તાર અને સેન્ટ્રલ હોસ્પિટલ અને SRN હોસ્પિટલ વચ્ચે એમ્બ્યુલન્સની અવરજવર સવારથી રાત સુધી ચાલુ રહી.

તો બીજી બાજુ પોલીસને 11 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયાના ખોટા સમાચાર પણ મળ્યા હતા. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન પોલીસને આ સમાચાર ખોટા લાગ્યા અને તેમણે આ મામલે FIR નોંધી. ત્યારે સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવતી પોસ્ટ્સ દૂર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરમાં રહસ્યમય બીમારીથી એક મહિનામાં 14 લોકોના મોત

Related Posts

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં
  • August 6, 2025

UP: ઉત્તર પ્રદેશના આગ્રામાં 30 વર્ષીય એન્જિનિયર રોહિત કુમારે એક હોટલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક પેન ડ્રાઇવ અને એક…

Continue reading
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો
  • August 6, 2025

Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 9 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 6 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 13 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 27 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 12 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત