કર્ણાટકની કોંગ્રેસ સરકારના અઢી વર્ષ પુરા થતાં મળી શકે છે નવા દલિત મુખ્યમંત્રી

  • India
  • January 15, 2025
  • 0 Comments

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી પાર્ટી અથવા કોઈ નેતાએ સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું. આ દરમિયાન ખબર સામે આવી રહી છે કે, રાજ્ય સરકારમાં મંત્રી આર.બી ટિમ્માપુરે પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લગભગ અડધો કાર્યકાળ પૂરો કરી ચુક્યા છે. 2023માં ચૂંટણી જીત્યા બાદ રાજ્યમાં કથિત રીતે અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બદલાવાનું નક્કી થયું હતું.

કર્ણાટકને મળશે દલિત મુખ્યમંત્રી?
ટિમ્માપુરે કહ્યું કે, ‘દલિતને કેમ મુખ્યમંત્રી પદ ન મળવું જોઈએ? મને મુખ્યમંત્રી કેમ બનાવવો ન જોઈએ? ખાસ વાત છે કે, રાજ્ય સરકારમાં દલિત નેતા ઘણાં મુખ્ય પદો પર રહે છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ મુખ્યમંત્રી રહ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર છે. 2023 વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કહેવામાં આવી રહ્યું હતું કે, શિવકુમાર મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવા માટે સિદ્ધારમૈયા વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. એક નેતાએ કહ્યું કે, ‘આ ખુલ્લું રહસ્ય છે કે, દલિત મુખ્યમંત્રીની આસપાસ ચર્ચાઓ વધી રહી છે. જેથી, પાર્ટીની અંદર વિરોધને ઘટાડી શકાય. ખાસ કરીને એવા સમયે જ્યારે તેમનો અડધો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જોકે, તેમની આ વ્યૂહનીતિનો ખાસ કરીને શિવકુમાર કેમ્પ વિરોધ કરી રહ્યા છે.’

સમગ્ર મામલાના જાણકાર લોકોનું કહેવું છે કે, દલિત નેતા પર સંમતિ બનાવવા માટે એસ.સી-એસ.ટી ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ, કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાના હસ્તક્ષેપ બાદ તેને રદ્દ કરી દેવામાં આવી. કથિત રીત શિવકુમારના કહેવા પર હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો.

સમગ્ર મુદ્દે જી પરમેશ્વરાનું કહેવું છે કે, જેવું દેખાઈ રહ્યું છે કે બેઠકને રદ કરી દેવામાં આવી છે, પરંતુ એવું નથી તેને ફક્ત ટાળી દેવામાં આવી છે. કોઈપણ બેઠકને રોકી નથી શકતું. જો કોઈપણ કહે છે કે, દલિત મુદ્દા પર વાત કરવા માટે બેઠક પોસાય તેમ નથી, તો અમે તેમને બરાબરનો જવાબ આપીશું. અમારી પાસે ક્ષમતા અને તાકાત છે.’ કહેવામાં આવી રહ્યું છે કે, બેઠક રદ થવાથી રાજ્યના ઘણાં દલિત નેતાને નારાજ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- કાતિલ ઠંડીના કારણે મહાકુંભમાં સ્નાન કર્યા પછી ત્રણ લોકોના મોત; ત્રણ હજાર લોકો પડ્યા બીમાર

  • Related Posts

    Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા
    • August 5, 2026

    Asaram Parole: રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના બે અલગ-અલગ કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સ્વયંભૂ ધર્મગુરુ આસારામને 20 દિવસની નિયમિત પેરોલ આપવાનો આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું કે રાજ્ય સરકાર પેરોલ…

    Continue reading
    Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ
    • August 5, 2026

    Jantar Mantar Protest: નવી દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા લાંબા વિરોધ પ્રદર્શન બાદ હવે આંદોલનને ભોજન અને અન્ય પ્રકારની મદદ કરનાર કેટલાક રેસ્ટોરાં અને કેફે સંચાલકો પોલીસની કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

    • August 5, 2026
    • 2 views
    Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

    Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

    • August 5, 2026
    • 3 views
    Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

    Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

    • August 5, 2026
    • 7 views
    Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

    Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

    • August 5, 2026
    • 3 views
    Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

    Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

    • August 5, 2026
    • 3 views
    Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

    Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

    • August 5, 2026
    • 6 views
    Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ