Tirupati Temple: ભગવાન વેંકટેશ્વરની પવિત્રતા જાળવવા મંદિરના 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરાશે

  • India
  • February 5, 2025
  • 0 Comments
  • Tirupati Temple: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ દ્વારા બિન હિન્દુ કર્મચારીઓને નોટીસ આપવામાં આવી.
  • બિન હિન્દુ કર્મચારીઓને ટ્રાન્સફર કે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના દ્વારા હટાવવામાં આવશે.

Tirupati Temple વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પવિત્રતા જળવાય તેવા આશય સાથે 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરી દેવાની કવાયત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) દ્વારા હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે, આજરોજ 18 બિન હિન્દુ કર્મચારીઓને નોટીસ પાઠવવામાં આવી છે.

બુધવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD) દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, ભગવાન વેંકટેશ્વર મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખીને સંસ્થાન દ્વારા 18 બિન હિન્દુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18 બિન હિન્દુ કર્મચારીઓને ટ્રાન્સફર અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના હેઠળ છૂટા કરવામાં આવશે.

TTD બોર્ડ દ્વારા કહેવાયું છે કે, આપણાં મંદિરો અને ધાર્મિક કાર્યક્રમોની આધ્યાત્મિક પવિત્રતા અકબંધ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો અને અનુષ્ઠાનોમાં ભાગ લેવા સાથે બિન હિન્દુ ધાર્મિક ગતિવિધીઓમાં કથિત રૂપે સંકળાયેલા 18 કર્મચારીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં છે.

તાજેતરમાં જ બોર્ડ દ્વારા આવા કર્મચારીઓને દૂર કરવા અંગેનો સંકલ્પ જાહેર કરાયો હતો. ત્યારબાદ હવે આ કાર્યવાહીને વેગ આપવામાં આવ્યો છે. ટીટીડીના ચેરમેન બી.આર. નાયડૂએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, મંદિરની પવિત્રતા જળવાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને તેથી જ 18 બિન હિન્દુ કર્મચારીઓ સામે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો પહોંચ્યો પાતાળ લોકમાં; 25 પૈસા ઘટીને 87.37 પર

Related Posts

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી
  • May 2, 2026

Kapil Sibal: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે મતોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 2 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 5 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 10 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 12 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 12 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 12 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી