Trump Hikes H-1B Visa Fee: ટ્રમ્પ જેવો દોસ્ત હોય તો દુશ્મનની શું જરુર?

Trump Hikes H-1B Visa Fee: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.જેમાં H-1B વિઝા અરજીઓ માટે $100,000 (લગભગ ₹88 લાખ)ની નવી વાર્ષિક ફી લગાવવામાં આવી છે. આ નિયમ 21 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવે છે અને મુખ્યત્વે નવા અરજદારો પર લાગુ પડે છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી કે આ ફી “વન-ટાઇમ” છે અને વર્તમાન વિઝા ધારકો કે 2025ના લોટરીમાં ભાગ લેનારાઓ પર લાગુ નથી. આ નિર્ણયને કારણે વ્યાપક વિવાદ ફૂટ્યો છે, લોકો આ મામલે મોદી અને ટ્રમ્પની દોસ્તીને લઈને પ્રહાર કરી રહ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે કે, જો ટ્રમ્પ જેવો દોસ્ત હોય તો દુશ્મનની શું જરુર ? આ મામલે વરિષ્ઠ પત્રકાર મયુરજાનીએ સમજાવ્યું કે ટ્રમ્પના આ નિર્ણયની ભરતીયો પર શું અસર થશે?

H-1B Visa પર મલ્લિકાર્જુન ખડગેના પ્રહારો

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આ “જન્મદિવસની રીટર્ન ગિફ્ટ” ભારતીયો માટે નુકસાનકારક સાબિત થશે. મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર “Trump signs anoclamation imposing $1,00,000 fee for H-1B applications” શીર્ષકવાળા ધ હિન્દુના એક સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો.

“@narendramodi જી,

જન્મદિવસની શુભેચ્છાઓ પછી મળેલી આ રીટર્ન ગિફ્ટ્સથી ભારતીયો નાખુશ છે.

આ તમારી “અબકી બાર, ટ્રમ્પ સરકાર” સરકાર તરફથી જન્મદિવસની ભેટો છે!

H-1B વિઝા પર $100,000 ની વાર્ષિક ફી ભારતીય ટેક કામદારોને સૌથી વધુ અસર કરશે, કારણ કે H-1B વિઝા ધારકોમાંથી 70% ભારતીય છે.

૫૦% ટેરિફ પહેલાથી જ લાદવામાં આવ્યો છે, જેના કારણે ભારતને માત્ર ૧૦ ક્ષેત્રોમાં ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની ધારણા છે.

HIRE એક્ટ ભારતીય આઉટસોર્સિંગને લક્ષ્ય બનાવે છે.

ચાબહાર બંદર પરની છૂટ પાછી ખેંચી લેવામાં આવી, જે આપણા વ્યૂહાત્મક હિતોને નુકસાન પહોંચાડે છે.

EU તરફથી ભારતીય માલ પર 100% ટેરિફ લાદવાની માંગ પણ કરવામાં આવી હતી!

ટ્રમ્પે તાજેતરમાં (ઘણી વખત!) દાવો કર્યો હતો કે તેમના હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટક્યું હતું

ભારતીય રાષ્ટ્રીય હિતો સર્વોપરી છે. ગળે મળવા, ખાલી સૂત્રોચ્ચાર, કોન્સર્ટ અને લોકોને “મોદી, મોદી” ના નારા લગાવવા એ વિદેશ નીતિ નથી!

વિદેશ નીતિનો અર્થ છે આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું; ભારતને પ્રથમ રાખવું અને સમજદારી અને સંતુલન સાથે મિત્રતા બનાવવી.

તેને ફક્ત એક બારી પરના ઢાંકણા સુધી ઘટાડી શકાય નહીં, જે આપણા લાંબા ગાળાના હિતોને નુકસાન પહોંચાડે.

અમેરિકામાં વિઝા પર કામ કરતા ભારતીય વ્યાવસાયિકો પર પ્રતિકૂળ અસર કરી શકે તેવા પગલામાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫) એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા જે H-૧બી વિઝા ફી વાર્ષિક 100,000 ડોલર સુધી વધારી દેશે. ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાના વહીવટીતંત્રના પ્રયાસોમાં આને નવીનતમ પગલું માનવામાં આવે છે.

વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે જણાવ્યું હતું કે H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ દેશની વર્તમાન ઇમિગ્રેશન સિસ્ટમમાં “સૌથી વધુ દુરુપયોગ કરાયેલા વિઝા” પૈકીનો એક છે, અને તે ઉચ્ચ કુશળ કામદારોને એવા ક્ષેત્રોમાં કામ કરવા માટે યુએસ આવવાની મંજૂરી આપે છે જ્યાં અમેરિકનો કામ કરતા નથી.

સ્મિતા પ્રકાશે શું કહ્યું ?

આ મામલે સ્મિતા પ્રકાશે કહ્યું કે, બિગ 5 – ફેસબુક (હવે મેટા), એમેઝોન, એપલ, નેટફ્લિક્સ અને ગુગલ (હવે આલ્ફાબેટ) સિવાય, ભાગ્યે જ કોઈ કંપની H1B વિઝા ધારક દીઠ દર વર્ષે $100,000 ચૂકવી શકે છે. અમેરિકા સીધું ભારતને નિશાન બનાવી રહ્યું છે કારણ કે આપણે H1B ના સૌથી મોટા લાભાર્થી છીએ.

સૌરભ ભારદ્વાજએ શું કહ્યું? 

સૌરભ ભારદ્વાજએ કહ્યું કે,અમેરિકામાં ભારતીયો કામ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે લઘુત્તમ વેતન $100,000 સુધી વધારી દીધું છે, જે લગભગ 9 મિલિયન રૂપિયા થાય છે. આ કંપનીઓને H-1B વિઝા પર ભારતીયોને સરળતાથી નોકરી પર રાખવાથી રોકવા માટે છે.

અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ એક તક છે જેઓ માનતા હતા કે ભારતમાં સુવર્ણ યુગ આવી ગયો છે. તેમણે હવે ભારત આવીને સુવર્ણ યુગનો આનંદ માણવો જોઈએ.

ભારત-અમેરિકા સંબંધો પર અસર 

લોકસભાની ચૂંટણી પહેલા ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાથી માત્ર ભારતીય વ્યાવસાયિકોને જ આંચકો લાગશે નહીં પરંતુ ભારત-અમેરિકા સંબંધો પર પણ તેની ઊંડી અસર પડી શકે છે. કોંગ્રેસે પ્રશ્ન કર્યો છે કે શું મોદી સરકાર ફક્ત વિદેશ નીતિનો દેખાડો કરી રહી છે, જ્યારે વાસ્તવિક રાષ્ટ્રીય હિતોનું રક્ષણ જોખમમાં છે. આગામી દિવસોમાં આ મુદ્દા પર રાજકીય લડાઈ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

આ પણ વાંચો:   

Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Mumbai: ‘તું મૂર્ખ છે, એટલે જ સરહદ પર..’ HDFC ના મહિલા કર્મચારીનું સેનાના જવાન સાથે અભદ્ર વર્તન, બેંકે આપી સ્પષ્ટતા

Arunachal Pradesh: 90 વિદ્યાર્થિનીઓ રાત્રે 65 કિલોમીટર પદયાત્રા કરી, તંત્રએ તાત્કાલિક લેવો પડ્યો આ નિર્ણય

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?
  • March 18, 2026

NIA: ભારતમાં અતિ મોટી ગંભીર ઘટના બની છે,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમ અને મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ એક અમેરિકન નાગરિક (મેથ્યુ એરોન વેન ડાઇક) સહિત છ…

Continue reading
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ
  • March 17, 2026

PM Modi: દેશમાં ઈરાન યુદ્ધ બાદ સર્જાયેલી ગેસ કોટોકટી મામલે એક તરફ સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે અને વિપક્ષ આ મુદ્દે સવાલ ઉઠાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”