નકલી ED અધિકારી બાબતે ઇસુદાન ગઢવી અને હર્ષ સંઘવી વચ્ચે ટ્વિટર વોર

  • Gujarat
  • December 14, 2024
  • 0 Comments

દેશમાં વર્તમાન સમયમાં નકલીનો ચક્કર વધી ગયો છે. સરકારી અધિકારીઓથી લઈને સરકારી કચેરીઓ સુધી નકલી મળી આવ્યા છે. તો પોલીસ સહિતના અધિકારીઓ તો છાસવારે મળે છે. જોકે, કચ્છમાંથી પકડાયેલા ઈડીના નકલી અધિકારીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ઘેર્યા છે.

જણાવી દઇએ કે, પાછલા કેટલાક સમયથી હર્ષ સંઘવીની કામ કરવાની રીત અને પેટર્ન બધાની નજરમાં આવી છે. કેમ કે જેટલી વખત પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ અપરાધ કરતાં ઝડપાઇ છે અથવા કેસમાં મુસ્લિમ નામ હોય છે તો હર્ષ સંઘવી ખુબ જ અગ્રતા આપીને તે કેસનું નિકાલ લાવતા હોય છે. એક રેપ કેસમાં તો તેમણે સુરજ ઉગતા સુધી આરોપીઓને પકડી પાડશું તેવો વાયદો કર્યો હતો. ખેર, આરોપીઓને કાયદાનું ભાન કરાવવું સારી બાબત છે. પરંતુ આરોપીઆના ધર્મ-જાત-જ્ઞાતિને જોઈને કાયદાનું ભાન કરાવવાની વાત કહેવી યોગ્ય વાત નથી.

જોકે, ગૃહમંત્રીના રૂપમાં કેટલાક કેસોમાં જ ઉત્સુકતા દેખાડવામાં આવે તે સારી બાબત ન ગણાય. ગૃહરાજ્યમંત્રી પર રાજ્યભરના તમામ જનતાની સુરક્ષાની જવાબદારી હોય છે, તેવામાં મતભેદપૂર્વકનું કામ અયોગ્ય ગણાશે.

જોકે, આ વખતે હર્ષ સંઘવી નકલી ઈડી અધિકારીઓને આપ નેતાઓ ઉપર કરેલા આક્ષેપોને લઈને બેકફૂટ પર ધકેલાઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો અને આપ પર પ્રહારો કર્યા હતા. આ મામલે હવે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી ED મામલે ઝડપાયેલા આરોપીનો ભાજપના સાંસદ અને પોલીસ સાથેના ફોટો ટ્વીટ કરી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે, સાથે હર્ષ સંઘવીને પૂછ્યું છે કે આરોપીનો ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે એનો જવાબ આપો.

નકલી ઈડી અધિકારી ઝડપાયેલો અધિકારી મુસ્લિમ છે. તેથી હર્ષ સંઘવી તેમાં કૂદ્યા વગર પોતાની જાતને રોકી શક્યા નહતા. આ વખતે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ આરોપ લગાવ્યા છે. પરંતુ હર્ષ સંઘવીની ફસામણી ત્યારે થઇ જ્યારે બીજેપીના નેતાઓ સાથે આરોપીઓના ફોટાઓ સામે આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. જોકે 4 ડિસેમ્બરે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, ત્યારે EDની આ નકલી ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપી સામેલ હતા.

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ