UAE: યુએઈમાં મહિલા બાદ બે ભારતીય પુરુષોને ફાંસી, કારણ જાણી ચોકી જશો!

  • World
  • March 6, 2025
  • 0 Comments
  • યુએઈમાં ભારતીય નાગરિકોને ફાંસી
  • યુએઈમાં ભારતીયોની મૃત્યુદંડની સજાનો મુદ્દો ગંભીર
  • મહિલા બાદ બે પુરુષોને ફાંસીની સજા

તાજેતરમાં જ યુએઈમાં એક ભારતીય મહિલાને ફાંસી આપી દેવાઈ છે. ત્યારે હવે બીજા સમાચર મળી રહ્યા છે કે બે ભારતીય નાગરિકો મોહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને હત્યામાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ફાંસી આપી દેવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રાલયએ આ પુષ્ટિ કરી છે. બંને ભારતીય નાગરિકો કેરળ રાજ્યના રહેવાસી હતા. બંને જુદી જુદી હત્યાની સંડોવણીમાં ફસાયેલા હતા. મોહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુને અમીરાતના નાગરિકની હત્યાનો દોષી ઠેરવ્યો હતો. જ્યારે મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને ભારતીય નાગરિકની હત્યાનો દોષી જાહેર કર્યો હતો.

સંયુક્ત આરબ અમીરાતની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસેશન, એ બંને ભારતીય નાગરિકોની સજા ફટકારી હતી. આ બંને આોરોપીઓને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ, UAE અધિકારીઓએ ભારતીય દૂતાવાસને જાણ કરી કે બંનેને ફાંસી આપવામાં આવી છે. દૂતાવાસ અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ મૃતકોના પરિવારોના સંપર્કમાં છે અને અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અગાઉ ભારતીય મહિલાને ફાંસીને માચડે ચઢાવી દેવાઈ

આ કેસ યુએઈમાં ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારવાનું બીજું ઉદાહરણ છે. આ પહેલા 15 ફેબ્રુઆરી, 2025 ના રોજ, ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની 33 વર્ષીય મહિલા શહજાદી ખાનને પણ ફાંસી આપવામાં આવી હતી. શહજાદી પર 4 મહિનાના બાળકની હત્યાનો આરોપ હતો અને દુબઈમાં બે વર્ષની જેલ બાદ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

વિદેશમાં ભારતીય નાગરિકો મૃત્યુદંડનો કરી રહ્યા છે સામનો

ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે 13 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુએઈમાં 29 ભારતીય નાગરિકો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે. યુએઈ એ દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ભારતીય નાગરિકો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે.

ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા

યુએઈમાં ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજાનો મુદ્દો એક ગંભીર મુદ્દો છે, જે ભારત અને યુએઈ વચ્ચે રાજદ્વારી ચર્ચાઓને અસર કરી શકે છે. મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની સંખ્યા પર નજર રાખવી અને તેમના પરિવારોને મદદ કરવી એ વિદેશ મંત્રાલયની પ્રાથમિકતાઓમાંની એક છે.

આ પણ વાંચોઃ  Panchmal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા

આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

આ પણ વાંચોઃ અમરેલી જીલ્લામાં વધુ એક સિંહ હુમલાની ઘટના, બચકા ભરેલી લાશ મળી, અગાઉ એક ખડૂતનો લીધો હતો જીવ |Amreli Lion attack

 

Related Posts

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
  • May 10, 2026

Indus Waters Treaty: પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષો જૂની સિંધુ જળ સંધિ (IWT) ને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને ચીમકી આપતા જણાવ્યું છે…

Continue reading
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
  • May 10, 2026

Vijay Tamil Nadu CM: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી