
તાજેતરમાં જ ભારતના ઉત્તરાખંડમાં UCC(Uniform Civil Code) કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કોઈ પણ ધર્મ, જાતિને એક સરખો કાયદો લાગુ પડે છે. જેમાં લીવ-ઈન, લગ્ન, છૂટાછેડા માટે એક સમાન કાયદો લાગુ પડે છે. ત્યારે હવે ગુજરાત પણ UCC લાગુ કરવા જઈ રહ્યાની ચર્ચા થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે લોકોના સૂચન પર કામ કરશે. આજે બપોર સુધી મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે જાહેરાત કરશે.
શું છે UCC?
યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.
બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે.