
Unnao Case: ઉન્નાવ બળાત્કાર કેસના દોષી કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે (29 ડિસેમ્બર, 2025) સુપ્રીમ કોર્ટે સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ હાઈકોર્ટના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો.
ઉન્નાવ રેપ કેસના દોષિત કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.બહુ ચર્ચિત સગીર વયની કિશોરી સાથે બળાત્કાર ગુજારવાનો જેના ઉપર આરોપ છે તે ભાજપના પૂર્વ નેતા દિલ્હી હાઈકોર્ટ દ્વારા સેંગરને અપાયેલા જામીન પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી છે,
CBIએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે આ સગીર કિશોરી ઉપર આચરવામાં આવેલો બળાત્કારનો ગંભીર ગુનો છે, તેથી રાહત ન મળવી જોઈએ.કોર્ટે સેંગરને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે, ત્યાં સુધી હમણાં તો સેંગરને જેલમાં જ રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા વગદાર ભાજપના પૂર્વ નેતા એવા સેંગરની જામીન અરજી મંજૂર કરતા દેશભરમાં ભારે ચર્ચા અને વિરોધ પ્રદર્શનો થયા હતા.પીડાતાનો પરિવાર જ્યારે વિરોધ કરતો હતો ત્યારે તેઓને ઢસડીને લઈ જવામાં આવ્યા આ બધા દ્રશ્યો સોશ્યલ મીડિયા ઉપર આગની જેમ ફરી વળતા પોલીસની તાનશાહી સામે લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને પીડિતાને ન્યાય મળે તે માટે સોશ્યલ મીડિયા ઉપર લોકોની પ્રતિક્રિયા ટ્રેંડમાં ચાલી હતી દરમિયાન સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટના આ ફેંસલા પર આગામી સુનાવણી સુધી રોક લગાવીને સ્પષ્ટ કરી દીધું છે કે ગંભીર ગુનાઓમાં રાહત આપતા પહેલા સુરક્ષા અને ન્યાયના પાસાઓને અવગણી શકાય નહીં.
બીજા એક મહત્વના ચુકાદામાં અરવલ્લી કેસ ઉપર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ખનન પ્રવૃતિ સામે સ્ટે મુકાયો છે,અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ હતો તેની ઉપર સ્ટે મુકાયો છે અને અરવવલીની સુરક્ષા માટેનો મુદ્દો ધ્યાને લેવામાં આવ્યો છે.આ બે મોટા ફેસલા માટે The Gujarat Reportના MD અને સિનિયર પત્રકાર મયુર જાની અને સાથી વરિષ્ઠ પત્રકાર મેહુલ વ્યાસ આ મુદ્દે વિશેષ ચર્ચા કરી રહ્યા છે આ ખૂબજ અગત્યના મુદ્દા ઉપરનું વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









