
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસી વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં આજે શુક્રવારે સવારેથી વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં બાલાસિનોર, લુણાવાડા ગ્રામ્ય અને ખાનપુર પંથકમાં વરસાદ પડ્યો છે.
બાલાસિનોર શહેરમાં વરસાદી ઝાંપટું પડ્યું હતુ. જ્યારે લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર દામોદ લાલસર સહિતના પંથકમાં હળવા છાંટા પડ્યા હતા. જ્યારે ખાનપુર પંથકમાં પણ હળવા છાંટા પડ્યા હતા. જિલ્લાના છ તાલુકામાંથી ત્રણ તાલુકામાં આજે વેહલી સવારથી કમોસમી વરસાદ પડ્યો છે.
વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે પાકમાં જીવાત પડવાની શક્યતા છે. ઘઉં, મગફળી, બાજરી, જુવાર, મકાઈના પાકોને નુક્સાનની શક્યતા છે.